પંજાબના માનસામાં પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. વિપક્ષ સતત પંજાબ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
પંજાબ સરકાર માટે સુખબીર બાદલે આપ્યું મોટું નિવેદન
પંજાબ સરકારને બરખાસ્ત કરી દેવી જોઈએ
પંજાબ સરકારે સુરક્ષા પાછી ખેંચવાનો ખોટો નિર્ણય
પંજાબના માનસામાં પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. વિપક્ષ સતત ભગવંત માન સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. ત્યારે હવે આ મામલે શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે મોટું નિવેદન આપ્યું છે.
પંજાબ સરકારને બરખાસ્ત કરી દેવી જોઈએ
સુખબીર સિંહ બાદલે કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે ઘટનાને અંજામ આપવા માટે AK-94 રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમે માંગ કરીએ છીએ કે પંજાબ સરકારને તાત્કાલિક બરતરફ કરવામાં આવે. સીએમ ભગવંત માન આ પદ માટે યોગ્ય નથી.
If Punjab govt hadn't taken wrong decision of withdrawing security of Sidhu Moose Wala, then he would've survived. SAD demands probe by a central independent agency in this case: SAD Pres Sukhbir S Badal after meeting with Punjab Gov on murder of Punjabi singer Sidhu Moose Wala pic.twitter.com/jZw48zA22M
પંજાબના રાજ્યપાલને મળ્યા બાદ તેમણે કહ્યું કે જો પંજાબ સરકારે સિદ્ધુ મુસેવાલાની સુરક્ષા પાછી ખેંચવાનો ખોટો નિર્ણય ન લીધો હોત તો તેઓ બચી ગયા હોત. અકાલી દળે આ મામલે કેન્દ્રીય સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસની માંગ કરી છે.
સિદ્ધુ મૂસેવાલાના પિતાએ આ માંગણી કરી હતી
તમને જણાવી દઈએ કે પિતા બલકૌર સિંહે મૂસેવાલા મર્ડર કેસમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારની કથિત અક્ષમતાનો આરોપ લગાવ્યો છે. તેમણે મુખ્યમંત્રી ભગવંત માનને પણ આ મામલે હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસ કરાવવા વિનંતી કરી છે.