દિવંગત એક્ટર સિદ્ધાર્થનું ગુરુવારે હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે. નિધનની સમાચાર સાંભળીને બોલીવુડ સહિત તેમના ચાહકોમાં નિરાશા વ્યાપી હતી.ત્યારે સિદ્વાર્થની એક ઈચ્છા અધુરી રહી
ગુરુવારે સવારે સિદ્ધાર્થ હાર્ટ એટેકથી નિધન થયું હતું.
નિધનના સામાચર સાંભળી ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી
સિદ્ધાર્થ શુકલાની એક ઈચ્છા અધુરી રહી ગઈ
જાણો શું હતી ઈચ્છા ?
અખિલ ભારતીય દંડી સંન્યાસી પરિષદના સંરક્ષક જગદ્દગુરુ સ્વામી મહેશાશ્રમે જણાવી સિદ્વાર્થ શુકલાની ઈચ્છા જણાવતાં કહ્યું હતું કે, સિદ્વાર્થ શુકલા કુંભ ઉપર એક મોટી ફિલ્મ બનાવવા માગતાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેઓ બહુ ધાર્મિક સ્વભાવના હતાં.તેમને કુંભનો વૈભવ બહુ પસંદ હતો.કુંભ 2019માં પ્રયાગ રાજ પર શૂટિંગની વ્યસ્તતાના કારણે તેઓ આવી નહી આવી શક્યાં
સિદ્વાર્થનો લગાવ પહેલાથી પ્રયાગરાજ સાથે રહ્યો હતો
અભિનેતા સિદ્વાર્થ શુક્લના નિધનથી ફિલ્મનગરી દુખી છે. સિદ્વાર્થનો પ્રયાગરાજ શહેરથી આત્મીયતાનો નાતો છે. સિદ્વાર્થનો જન્મ ભલે મુંબઈમાં થયો હોય પરંતુ તેનો લગાવ હંમેશા પ્રયાગરાજ સાથે રહ્યો હતો. સિદ્વાર્થના પિતા અશોક શુકલ આરબીઆઈમાં સિવિલ એન્જીનીયર હતાં અને તેઓ ઉલ્લાપુર રહેતાં હતાં. અને વર્ષ 1976-77ની વચ્ચે તેઓએ તે શહેર છોડીને મુંબઈ આવીને વસ્યાં હતાં. સિદ્વાર્થ શુકલાનો જન્મ મુંબઈમાં થયો હતો. અને ત્યાંજ તેઓએ શાળા અને કોલેજનો અભ્યાસ કર્યો હતો. સિદ્વાર્થે વર્ષ 2007 અર્ધ કુંભમાં કેટલાક મિત્રો સાથે પ્રયાગરાજ આવ્યાં હતાં.
માતા અને બહેનોનો લાડકવાયો હતો સિદ્ધાર્થ
સિદ્ધાર્થ શુક્લા આ વીડિયોમાં તેની માતા સાથે જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ માતાને લેવા એરપોર્ટ ગયો હતો. વીડિયોમાં સિદ્ધાર્થ શુક્લા તેની માતા અને અન્ય લોકો સાથે વાત કરતો જોવા મળે છે. સિદ્ધાર્થ શુક્લાના ચાહકોમાં આ વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. સિદ્ધાર્થ આ વીડિયોમાં એકદમ ફિટ અને ફાઇન લાગે છે. વીડિયો જોતાં કોઈ ન કહી શકે તે બીમાર હશે કે તેની આવી કોઈ બીમારી હશે. સિદ્ધાર્થ શુક્લાની વિદાય તેની માતા અને બહેનો માટે સૌથી મોટો ફટકો રહ્યો છે.
રાત્રે 3 થી 3.30 વાગ્યાની આસપાસ સિદ્ધાર્થની તબિયત બગડી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ શુક્લાની તબિયત ગઈકાલે રાત્રે 3 થી 3.30 વાગ્યાની આસપાસ બગડી હતી. તેણે તેની માતાને અસ્વસ્થતા અને છાતીમાં દુખાવો વિશે ફરિયાદ કરી હતી. અભિનેતાની માતાએ તેને પાણી પીવડાવ્યું હતું અને તેને સૂવડાવી દીધો હતો. માતાએ સવારમાં સિદ્ધાર્થને જગાડવાની ઘણી કોશિશ કરી પણ તે ન જાગતા પરિવાર ચિંતામાં આવ્યો હતો અને ડોક્ટરને બોલાવ્યા હતા. સ્થિતિ જોઈને ડોક્ટરે સિદ્ધાર્થને હોસ્પિટલમાં દાખલ કરવાની ભલામણ કરી પરંતુ તેઓ મોડા પડ્યાં ત્યાં સુધીમાં તો સિદ્ધાર્થનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.
ફિલ્મ અને ટીવી સ્ટાર્સ સિદ્ધાર્થને આપી શ્રદ્ધાંજલિ
સોશિયલ મીડિયા પર ફિલ્મ અને ટીવી સ્ટાર્સ સિદ્ધાર્થને ભેજવાળી આંખોથી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સિદ્ધાર્થના મૃત્યુની જાણ થતાં તેની મિત્ર શહનાઝ ગિલ ની પણ ખરાબ સ્થિતિમાં છે. સિદ્ધાર્થના નજીકના મિત્રો અને પરિચિતો તેને અંતિમ વિદાય આપવા માટે મુંબઈમાં તેના ઘરે પહોંચી રહ્યા છે. અસીમ રિયાઝ, હિન્દુસ્તાની ભાઈ, રાહુલ મહાજન, આરતી સિંહ, શેફાલી જરીવાલા, જય ભાનુશાળી, રાજકુમાર રાવ અભિનેતાના ઘરે પહોંચ્યા હતા.