પોર્સ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સિદ્ધાર્થ શુક્લાના આજે અંતિમ સંસ્કાર થવાના છે.
સિદ્ધાર્થ શુક્લાના પાર્થિવ દેહને મુખાગ્ની આપવામાં આવી. આ સાથે જ તે પંચ મહાભૂતોમાં વિલીન થઈ ગયા છે. સિદ્ધાર્થના નિધનથી તેમનો પરિવાર અને સમગ્ર બોલિવૂડ તથા ટીવી જગત શોકમાં છે. આજે ઓશિવારા સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા સિદ્ધાર્થની માતાએ રડતા રડતા ધ્રૂજતા હાથે સિદ્ધાર્થને મુખાગ્ની આપી હતી. 40 વર્ષની ઉંમરમાં ટીવી અને બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.
મુંબઈમાં ભારે વરસાદની વચ્ચે સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના અંતિમ સંસ્કારમાં નજીકના મિત્રો અને સંબંધિઓ પહોંચ્યા હતા. અભિનેતા જય ભાનુશાલી અને ગુરમીત ચૌધરી પણ સ્મશાન ઘાટ પહોંચી તેમણે અંતિમ વિદાય આપી હતી. હાલ સ્મશાન ઘાટની અંદર સિદ્ધાર્થનો પરિવાર હાજર છે. અંતિમ સંસ્કાર થઈ ગયો છે અને ઘણા લોકો અંતિમ સંસ્કારમાં શામેલ થયા બાદ પરત ફરી રહ્યા છે.
સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા માટે શહનાઝ ગિલ પહોંચી હતી. ઓશિવારા સ્મશાન ઘાટ પહોંચેલી શહનાઝ ગિલની હાલત ખૂબ જ ખરાબ હતી. સ્મશાન ઘાટ પરથી સામે આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે શહનાઝ ધ્રૂસકેને ધ્રૂસ્કે રડી રહી હતી.
આજે સિદ્ધાર્થની અંતિમ યાત્રામાં સ્ટાર્સ પણ સામેલ થશે. મળતી માહિતી અનુસાર બ્રહ્માકુમારી આશ્રમના સદસ્ય સિદ્ધાર્થ શુક્લાનું અંતિમ સંસ્કાર કરશે. અંતિમ સંસ્કારમાં સિદ્ધાર્થ શુક્લાના આત્માની શાંતિ માટે મેડિટેશન કરવામાં આવશે. હાલ કપૂર હોસ્પિટલમાં સ્ટ્રેચર અને એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સિદ્ધાર્થને લઈ જવામાં આવશે. પહેલા જણાવવામાં આવી રહ્યું હતું કે અંતિમ ક્રિયા માટે એક્ટરના ઘરે તેનું પાર્થિવ શરીર લઈ જવામાં આવશે પરંતુ આમ ન થયું. સિદ્ધાર્થના પાર્થિવ દેહને સીધો ઓશિવારા સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો.
સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર પર આ ટીવી સ્ટાર્સ પહોંચ્યા
ગઈ કાલે રાતે ફિલ્મ અભિનેતા વરૂણ ધવન પણ સિદ્ધાર્થ શુક્લાના ઘરે પહોંચ્યા હતા. મહત્વનું છે કે સિદ્ધાર્થ અને વરૂણે હમ્પટી શર્મા કી દુલ્હનીયામાં એક સાથે કામ કર્યું હતું.