ડોક્ટર્સે જણાવ્યા અનુસાર સિદ્ધાર્થને હાર્ટ એટેક આવ્યો હતો પરંતુ....
અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું મોત
પોસ્ટ મોર્ટ માટે મોકલવામાં આવી ડેડ બોડી
મુંબઈ પોલીસ જણાવ્યું કોઈ ગડબડી નહીં
અભિનેતા અને બિગબોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થઈ ગયું છે. મુંબઈના કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું નિધન થવાની ખબર આવી રહી છે. હોસ્પિટલે નિધનની ખબર પર પુષ્ટિ કરી છે. જાણકારી અનુસાર 40 વર્ષિય સિદ્ધાર્થ શુક્લાનુ હાર્ટ એટેકના કારણે મોત થયું છે.
શું કહ્યું મુંબઈ પોલીસે?
જાણકારી અનુસાર, અભિનેતા સિદ્ધાર્થ શુક્લાને રાતે સુતા પહેલા અમુક દવાઓ લીધી હતી પરંતુ ત્યાર બાદ તે ઉભા ન થઈ શક્યા. હોસ્પિટલે બાદમાં પુષ્ટી કરી છે કે સિદ્ધાર્થનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. સિદ્ધાર્થ શુક્લાની મોત બાદ હવે મુંબઈ પોલીસ તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. તેમણે જણાવ્યું કે સિદ્ધાર્થની મોત પર હજુ સુધી કોઈ ગડબડીના ઈનપુટ નથી જોવા મળ્યા. હવે અમેને ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ છે. સાથે જ પોલીસે જણાવ્યું હતું કે સિદ્ધાર્થના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી અને મોતનું કારણ હજુ સુધી ખબર નથી પડી.
સિદ્ધાર્થના નિધનની ખબર સાંભળી શહનાઝે શૂટિંગ છોડી
જાણકારી અનુસાર સિદ્ધાર્થ શુક્લાની સૌથી નજીરની મિત્ર શહનાઝ ગિલે એક્ટરના નિધનની ખબર સાંભળ્યા બાદ પોતાના શૂટિંગ છોડી છે. જણાવી દઈએ કે શહનાઝ સિદ્ધાર્થની સૌથી નજીક હતી. થોડા દિવસ પહેલા જ બન્ને એક સાથે ડાંસ દિવાને પર રોમાંસ કરતા જોવા મળ્યા હતા.
મોતની ખબરથી શહનાઝ શોકમાં
અભિનેત્રી સના ખાને વાતચીતમાં જણાવ્યું કે તેને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી. સના ખાન અભિનેત્રી શહનાઝ ગીલની સારી મિત્ર છે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે શહનાઝ ગિલની હાલ શું સ્થિતિ છે તો તેણે જણાવ્યું કે તે હાલ કંઈ બોલવાના હોંશમાં નથી. શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની મુલાકાત બિગબોસમાં થઈ હતી ત્યાર બાદથી બન્ને સાથે જ જોવા મળતા હતા.