ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર, બાલિકા વધુ સ્ટાર અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેક બાદ નિધન થયું છે. એક્ટરના મોત બાદ ફેન્સની સાથે સાથે ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ પણ શોકમાં છે અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર સવારે હાર્ટ એટેક આવવાના કારણે સિદ્ધાર્થને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક્ટરને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. હવે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. સિદ્ધાર્થ શુક્લાની મોત બાદ હવે મુંબઈ પોલીસ તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. તેમણે જણાવ્યું કે સિદ્ધાર્થની મોત પર હજુ સુધી કોઈ ગડબડીના ઈનપુટ નથી જોવા મળ્યા. હવે અમેને ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ છે. સાથે જ પોલીસે જણાવ્યું હતું કે સિદ્ધાર્થના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી અને મોતનું કારણ હજુ સુધી ખબર નથી પડી.
સિદ્ધાર્થના મોત બાદ ટીવી જગત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં સેલેબ્સ ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે સાથે જ સિદ્ધાર્થને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.
સિદ્ધાર્થના નિધન પર મોની રોયે રિએક્શન આપતા એક બ્લેક પોસ્ટ શેર કરી છે અને સાથે જ લખ્યું છે, "gone too soon. RIP SIDHARTH.. "
બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતે ટ્વીટ કરતા લખ્યું, "આ વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો. હંમેશા યાદ આવશો સિદ્ધાર્થ શુક્લા, તમારી આત્માને શાંતી મળે. પરિવારને મારા દિલની સંવેદના."
It's just unbelievable and shocking. You will always be remembered @sidharth_shukla. May your soul rest in peace. My heartfelt condolences to the family 😞
Gone to soon bro @sidharth_shukla your glow will be with us forever and your loss is just irreplaceable!! There was no winner like you in #Biggboss and there never will be another ,lagta hai buri nazar par ab hamesha vishvas karna padega ! #RipSidharthShuklapic.twitter.com/ORei0NLl4k