પૂર્વ અભિનેત્રી સના ખાને સિદ્ધાર્થના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ
પૂર્વ અભિનેત્રીએ સિદ્ધાર્થના નિધન પર શોક વ્યક્ત કર્યો
કૂપર હોસ્પિટલે હાર્ટ એટેકથી સિદ્ધાર્થના મોતની પુષ્ટિ કરી છે. સિદ્ધાર્થના મોતના સમાચાર સાંભળી સોશિયલ મીડિયામાં લોકો શોક વ્યક્ત કરી રહ્યાં છે. પૂર્વ અભિનેત્રી અને સિદ્ધાર્થ શુક્લાની અભિનેત્રી રહી ચૂકેલી સના ખાને સિદ્ધાર્થના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે.
સના ખાને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું, હું તેમને અંગત રીતે ઓળખતી હતી. આ ખૂબ દુ:ખદ છે. ભગવાન આ દુ:ખદ સમયમાં તેમના પરિવારને શક્તિ અર્પે. આ સમાચાર મને ગળે ઉતરતા નથી. સિદ્ધાર્થ શુક્લા ખૂબ જ સારા વ્યક્તિ હતા.
રાહુલે કહ્યું, સિદ્ધાર્થ ખૂબ જ તંદુરસ્ત વ્યક્તિ હતા. તેમનું તંદુરસ્ત શરીરને જોઈને અમને થતુ હતુ કે આપણે તેમની ફિટનેસને ફોલો કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું, સિદ્ધાર્થ ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિ હતા. તેમણે પોતાની માતા માટે ઘર લીધુ હતું. આર્થિક અને પ્રોફેશનલ રીતે પણ તેઓ જાંબાઝ કામગીરી કરતા હતા. પરંતુ સિદ્ધાર્થ ખૂબ લાગણીશીલ હતા. તેઓ ક્યારેય પોતાના દિલની વાત કોઈની સાથે શેર કરતા નહોતા.
સિદ્ધાર્થ પોતાની માતાને ખૂબ પ્રેમ કરતા હતા
રાહુલે કહ્યું, સિદ્ધાર્થ પોતાની માતાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ ખૂબ બિન્દાસ્ત અને સમજદાર વ્યક્તિ હતા. રાહુલ મહાજને કહ્યું, સિદ્ધાર્થ અભિનેતા શાહરૂખ ખાનના મોટા પ્રશંસક હતા.