કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ જેસલમેરની એક હોટલમાં લગ્ન કરવાના છે.
જેસલમેરના આ ખાસ પેલેસમાં કિયારા-સિદ્ધાર્થ લેશે સાત ફેરા
કપલે અત્યાર સુધી પોતાનુ કોઈ રિએક્શન આપ્યું નથી
કિયારા અને સિદ્ધાર્થ પરિવારની ઉપસ્થિતિમાં લગ્ન કરશે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પ્રભુતામાં પગલા માંડશે?
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી થોડા સમયમાં પ્રભુતામાં પગલા માંડવાના છે. મહત્વનું છે કે કપલ પોતાના લગ્નના અહેવાલોને લઇને ખૂબ ચર્ચામાં છે. બંને અવાર-નવાર એકસાથે દેખાય છે, પરંતુ કપલે અત્યાર સુધી લગ્નના અહેવાલ સંદર્ભે પોતાનુ કોઈ રિએક્શન આપ્યું નથી. એવુ લાગે છે કે લગ્નની તૈયારી જોરશોરથી શરૂ થઇ ગઇ છે. સિદ્ધાર્થ અને કિયારા ટૂંક સમયમાં પતિ-પત્ની બની શકે છે.
કપલ 6 ફેબ્રુઆરીએ લગ્ન કરશે
કપલ 6 ફેબ્રુઆરીએ લગ્ન કરવાનુ છે. કિયારા અને સિદ્ધાર્થ તેના મિત્રો અને પરિવારની ઉપસ્થિતિમાં લગ્ન કરશે. તેમના ઘણા કોમન મિત્રો અને પારિવારિક સભ્યોએ હલ્દી માટે ગેંદા અને યલો થીમવાળા આઉટફિટ્સની શોપિંગ શરૂ કરી દીધી છે. તેમનુ પ્રી-વેડીંગ સેલિબ્રેશન 4 અને 5 ફેબ્રુઆરીથી થઇ શકે છે. હાલમાં મનીષ મલ્હોત્રા કિયારાની સાથે જોવા મળ્યો હતો. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કિયારા તેના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો લેંઘો પહેરવાની છે.
અહેવાલ મુજબ કપલના લગ્ન જેસલમેરની ફાઈવ સ્ટાર હોટલમાં થવાની સંભાવના છે. કિયારા અને સિદ્ધાર્થની આ બિગ ફેટ વેડિંગ માટે આશરે 84 લગ્ઝરી રૂમ બુક કરવામાં આવ્યાં છે. મનીષ મલ્હોત્રા, અશ્વિની યાર્ડી, વરૂણ ધવન અને કરણ જોહર બોલીવુડની એવી સેલિબ્રિટીઓમાં સામેલ છે, જેમને સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં આમંત્રિત કરવામાં આવ્યાં છે. કપલ મુંબઈમાં પણ ભવ્ય રિસેપ્શન પાર્ટીનુ આયોજન કરવાનુ છે. સિડના માતા-પિતા પણ બધી વિધિની સાથે એક ભવ્ય લગ્ન કરવા માટે ઈચ્છુક છે.