કેટલાકની ટેવ હોય છે ઉનાળામાં એ લોકો હંમેશા મોજા પહેરે છે. શું તમે જાણો છો કે ગરમીની સિઝનમાં આખો દિવસ મોજા પહેરી રાખવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
મોટાભાગના લોકોને મોજા પહેરવાનો ખૂબ જ શોખ હોય છે તો કેટલાકની ટેવ હોય છે. શિયાળો હોય કે ઉનાળો એ લોકો હંમેશા મોજા પહેરે છે. પરંતુ શું તમે જાણો છો કે ગરમીની સિઝનમાં આખો દિવસ મોજા પહેરી રાખવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
સ્કીન થઇ શકે છે ખરાબ
કેટલાક લોકો સસ્તા મોજા પહેરે છે, જેનાથી પગની સ્કીન ખરાબ થઇ શકે છે. ગરમીની સિઝનમાં સતત મોજા પહેરી રાખવાથી પગમાં પરસેવો થવા લાગે છે. એમા ભેજ વધે છે અને ફંગલ ઇન્ફેક્શન થવાની સમસ્યા વધી જાય છે અને પગની સ્કીન ખરાબ થવા લાગે છે.
બ્લડ સર્કુલેશનને થાય છે અસર
જો તમે વધારે ફીટ મોજા પહેરો છો તો પગમાં સોજાની સમસ્યા થઇ શકે છે.
પગમાં બ્લ્ડ સર્કુલેશન ઓછું થવા લાગે છે.
આ કારણે તમને બેચેની અને શરીરમાં અચાનક ગરમી લાગવાની સમસ્યા થવા લાગે છે.
આ ઉપરાંત તમે સવારથી લઇને સાંજ સુધી મોજા નિકાળતા નથી તો પગમાં અક્કડ થઇ જાય છે. એનાથી એડી અને પંજાનો કેટલોક ભાગ સુન્ન પડી જાય છે.
એડીનું જોખમ વધી જાય છે
શરીરના કોઇ પણ ભાગમાં તરલ પદાર્થનું જમા થવું અને એનાથી કોઇ ભાગમાં સોજો આવવો જ એડીમાનું લક્ષણ હોય છે. આમ તો લાંબા સમય સુધી એવી રીતે બેસી રહેવાથી પગ સુન્ન પડી જાય છે. પરંતુ આ ઉપરાંત પણ તમારા પગ સુન્ન પડી જાય છે તો મોજોમાં ખરાબી હોઇ શકે છે.