જો ખાવા પીવામાં વધુ ખાંડ લેતા હો, ગળ્યુ જમવાનું ખુબ ભાવતુ હોય , મીઠાઇ વગર રહી ન શકતા હો, જમ્યા બાદ મીઠાઇનો ટુકડો મોંમા પધરાવી દેતા હો તો આજથી જ ચેતી જાવ. આપણે સાંભળતા આવ્યા છીએ કે ખાંડ સફેદ ઝેર છે. આ વાત બિલકુલ સાચી છે. વધુ પડતી ખાંડ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે.
- સૌથી સામાન્ય લાગતી અને ઘણી બધી બિમારીઓનું મુળ એવી મેદસ્વીતા ખાંડ ખાવાથી થઇ શકે છે. જ્યારે આપણે ખાંડ ખાઇએ છીએ ત્યારે આપણાં શરીરમાં લીપોપ્રોટીન લિપોઝ બને છે. આ કારણે આપણી કોશિકાઓમાં ફેટ જમા થવા લાગે છે. પરિણામે આપણને મેદસ્વીતા ઘેરી લે છે.
- જ્યારે આપણે વધુ શુગર લઇએ છીએ ત્યારે તેની સીધી અસર આપણી ઇમ્યુન સિસ્ટમ પર પડે છે અને તે નબળી પડે છે. આમ થતા આપણને બિમારીઓ સરળતાથી ઘેરી લે છે.
- શુગરમાં કેલરી સિવાય બીજા કોઇ પોષકતત્વો હોતા નથી જે આપણા શરીરની ઉર્જા વધારવામાં મદદ કરે, જ્યારે તમે શુગરની માત્રા વધુ લેશો ત્યારે થોડા સમય બાદ તમને એનર્જીની કમી અનુભવાશે અને આળસ જેવું લાગશે. આ સ્થિતિ લાંબો સમય રહે તો તે ઘાતક સાબિત થઇ શકે છે.
- વધુ શુગરનું સેવન આપણા લીવરના કામને વધારી દે છે અને શરીરમાં લિપિડનું નિર્માણ વધી જાય છે. આવી સ્થિતિમાં ફેટી લિવર ડીસીઝ જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે.
- વધુ માત્રામાં શુગર લેવાથી બ્લડ શુગર લેવલ વધી જાય છે જે મગજ માટે નુકશાનકારક છે. આ સ્થિતિમાં મગજ સુધી યોગ્ય માત્રામાં ગ્લુકોઝ પહોંચી શકતુ નથી અને મગજ યોગ્ય રીતે કામ કરી શકતુ નથી, જે કારણે મેમરી લોસ પણ થઇ શકે છે.
- વધુ શગર લેનારા લોકો અકાળે વૃધ્ધ પણ થઇ જાય છે. આ સૌથી મોટી સાઇડ ઇફેક્ટ છે. જ્યારે આપણે વધુ માત્રામાં શુગર ખાઇએ છીએ તો શરીરમાં ઇંફ્લેમેટરી ઇફેક્ટ બને છે અને ત્વચા પર દાણા નીકળવા, વૃધ્ધ દેખાવુ અને કરચલીઓ પડવી જેવી સમસ્યાઓ થાય છે.
- વધુ શુગરના સેવનથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. તે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ વધારે છે જે દિલ માટે ઘાતક છે.