જો તમે કોઈ પણ ફળ વધુ માત્રામાં ખાઓ છો તો તે તમારા માટે ફાયદાની જગ્યાએ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે પાઈનેપલ ખાવાના શોખીન છો તો તમારે તેનાથી થતા નુકસાન વિશે પણ જાણવું જોઈએ.
વધારે પડતુ ન કરો પાઈનેપલનું સેવન
થઈ શકે છે આ ગંભીર બિમારીઓ
જાણી લો તેના નુકસાન વિશે
ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકો પાઈનેપલ ખાવાનું પસંદ કરે છે. કેટલાકને પાઈનેપલ કટ કરીને ખાવાનું ગમે છે તો કેટલાકને જ્યુસ પીવાનો શોખ હોય છે. કેટલાક લોકો બ્રેકફાસ્ટમાં પાઈનેપલ જ્યુસ પીવે છે તો કેટલાક લોકો તેને નાસ્તા તરીકે ખાવાનું પણ પસંદ કરે છે. જો તમે પણ પાઈનેપલના શોખીન છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. પાઈનેપલનું વધુ પડતું સેવન તમારા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
પાઈનેપલના વધુ પડતા સેવનના ગેરફાયદા
પાઈનેપલમાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જો કોઈ વ્યક્તિ તેનું વધુ પડતું સેવન કરે છે તો વિટામિન સીની માત્રા વધી જાય છે અને તેનાથી પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી તેને ઓછી માત્રામાં જ ખાવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓએ પાઈનેપલ ખાવાનું ટાળવું જોઈએ. પાઈનેપલ સ્વાદમાં ખાટા અને મીઠા પણ હોય છે અને તેમાં નેચરલ શુગરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જો ડાયાબિટીસથી પીડિત લોકો તેને ખાય તો શુગર લેવલ વધી જાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ડેન્ટલ પ્રોબ્લેમથી પીડિત લોકોએ પણ અનાનસથી દૂર રહેવું જોઈએ. જે એકદમ મીઠુ હોવા છતાં અનાનસ દાંતમાં સંવેદનશીલતાની સમસ્યા ઊભી કરી શકે છે. આ સિવાય વધુ પડતા સેવનથી કેવિટી જેવી સમસ્યા પણ થઈ શકે છે.
અનાનસ ખાવાથી ઘણા લોકોને એલર્જીની સમસ્યા પણ થાય છે અને ગળામાં દુખાવો થાય છે. જો તમને આમાંના કોઈપણ લક્ષણો દેખાય, તો તેનું સેવન કરવાનું બંધ કરો અને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.