માર્કેટમાં હાલમાં નારંગી સરળતાથી મળી રહે છે. જો તમે પણ નારંગી ખાવાના શોખીન છો તો તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાનું જરૂરી છે. જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમે તેને ખાવાનું ટાળો તે યોગ્ય છે. આ સિવાય તમારે કેટલીક સાઈડ ઈફેક્ટ્સને વિશે પણ જાણવું જરૂરી છે.
નારંગીના ફાયદા અને નુકશાન
અનેક બીમારીમાં ઘાતક છે નારંગી
ઉપયોગ પહેલાં જાણી લો તેની સાઈડ ઈફેક્ટ્સ
બદલાતી સીઝનમાં શરદી, ઉધરસ અને તાવની સમસ્યાઓ જોવા મળે છે. સૌથી વધુ અસર ખાનપાન પર થતી હોય છે. શિયાળામાં સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ હોય તેવા શાક અને ફળ સરળતાથી મળી રહે છે. પરંતુ કેટલાક એવા ફળ પણ હોય છે જેની નકારાત્મક અસર થાય છે. નારંગી પણ આવું જ એક ફળ છે. શિયાળામાં નારંગી સરળતાથી મળે છે પણ ડાયાબિટિસના દર્દીઓ માટે તે નુકસાનરૂપ સાબિત થઈ શકે છે. આ સિવાય પણ અનેક બીમારીમાં તે નુકસાનરૂપ ગણાય છે.
ડાયાબિટીસ
નારંગીમાં આર્ટિફિશિયલ સ્વીટનર હોતું નથી, પણ તેમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે. શુગરમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધારે હોય છે.જેના કારણે તે બ્લડ શુગરના પ્રમાણને પ્રભાવિત કરે છે. આ માટે ડાયાબિટીસના દર્દીઓને માટે નારંગી નુકસાનરૂપ સાબિત થઈ શકે છે.
ફાઈબર ઓછું હોય છે
જો તમે વજન ઓછું કરવાની કોશિશ કરી રહ્યા છો તો તમારે ફાઈબર લેવું જરૂરી છે. નારંગી પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આ સિવાય તમારા કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરને રેગ્યુલર કરવામાં પણ મદદ કરે છે, નિયમિત રીતે બોવેલ મૂવમેન્ટ વધારે છે. નારંગી ખાવું આ પ્રકારના લોકો માટે હાનિકારક હોઈ શકે છે.
પ્રોટીન ઓછું હોય છે
નારંગીનું સેવન નુકસાન કારક પણ હોઈ શકે છે. તેમાં પ્રોટીન ઓછું હોય છે. 100 ગ્રામ નારંગીમાં ફક્ત 1 ગ્રામ પ્રોટીન હોય છે. માંસપેશીઓ, સ્કીન અને શારીરિક ઉતકોના નિર્માણ અને જાળવણીને માટે પ્રોટીનની જરૂર હોય છે. તો તમે તમારા ડાયટમાં નારંગી સામેલ ન કરો તે સારું છે.
મિનરલ્સ ઓછા હોય છે
નારંગીમાં વિટામિન્સ સારા પ્રમાણમાં મળી રહે છે. પણ મિનરલ્સ ઓછા હોય છે. નારંગીમાં આયર્ન, ઝિંક, કોપર, સેલેનિયમ અને ફોસ્ફરસ હોતું નથી.
નારંગીના નુકસાનની સાથે ફાયદા પણ અનેક છે
હ્રદય સ્વાસ્થ્યને સારું રાખે છે.
બ્લડપ્રેશરને રેગ્યુલેટ કરે છે.
કિડનીને માટે લાભદાયી છે.
કેન્સરના દર્દી માટે સારું હોય છે.
પ્રેગનન્ટ મહિલાઓ માટે ફાયદારૂપ છે.
શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે.
આર્થાઈટિસના દર્દીને માટે સારું રહે છે.