તરબૂચમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે, તેથી ઉનાળામાં ડીહાઈડ્રેશન અને હીટ સ્ટ્રોકથી બચવા માટે તે બેસ્ટ ફ્રૂટ છે. પરંતુ વધુ પડતુ સેવન હાનિકારક છે
તરબૂચમાં લગભગ 92 ટકા પાણી હોય છે. આ સાથે તેમાં ફાઈબર, એનર્જી વગેરે પણ ભરપૂર માત્રામાં હોય છે.
તરબૂચનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી શુગર લેવલ ઝડપથી વધી શકે છે.
ડોક્ટરની સલાહ પર જ તરબૂચનું સેવન કરવું જોઈએ
Side Effects of Watermelon:ઉનાળાની ઋતુમાં લોકો તરબૂચનું ખૂબ સેવન કરે છે. સસ્તુ હોવા ઉપરાંત તે ઘણા ફાયદાઓથી ભરપૂર છે. તરબૂચમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે, તેથી ઉનાળામાં ડીહાઈડ્રેશન અને હીટ સ્ટ્રોકથી બચવા માટે તે બેસ્ટ ફ્રૂટ છે. આ ફળ ઉનાળામાં તમારી તરસ તો છીપાવે છે, પરંતુ થાક પણ દૂર કરે છે. જ્યારે તમારા શરીરમાં પાણીની માત્રા પર્યાપ્ત છે, તો તમે ઉનાળામાં હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને અન્ય સમસ્યાઓથી દૂર રહી શકો છો. તરબૂચ કબજિયાત, તણાવ, વેટ લોસ, આંખની સમસ્યા, હૃદયરોગ, બ્લડપ્રેશર, રોગપ્રતિકારક શક્તિ વધારવા, પાચનશક્તિ સુધારવા વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે. જો કે, આટલા બધા ફાયદા હોવા છતાં, તે થોડું નુકસાન પણ કરી શકે છે. આવો જાણીએ તરબૂચ ખાવાથી શું નુકસાન થઈ શકે છે અને તેમાં કયા પોષક તત્વો હોય છે.
તરબૂચમાં રહેલા છે અનેક પોષક તત્વો
તરબૂચમાં વધારે પાણીનું પ્રમાણ હોય છે. આ ઉપરાંત તરબૂચમાં ફાઈબર, એનર્જી, કાર્બોહાઈડ્રેટ્સ, શુગર, લાઈકોપીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, નિયાસિન, ઝિંક, થિયામીન, વિટામીન A, B6, C, E વગેરે પણ હોય છે.
વધારે તરબૂચ ખાવાથી થતુ નુકસાન
મીડિયા રિપોર્ટ અનુસાર, તરબૂચ સ્વાસ્થ્ય માટે એક હેલ્દી ફ્રૂટ છે. પરંતુ જો તમે તમારા બ્લડ સુગરનું સ્તર ઓછું રાખવા માંગતા હોય, તો તમારે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું પડશે. 4 કપ તરબૂચ (608 ગ્રામ)માં હાઇ ગ્લાયકેમિક ઇન્ડેક્સ લેવલ હોય છે. ઉપરાંત, તે લગભગ 46 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ પ્રદાન કરે છે, જેમાંથી 36 ગ્રામ ખાંડમાંથી આવે છે. તેવામાં આ ફળ તમારા બ્લડ શુગર લેવલમાં વધારો કરી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ખૂબ જ મર્યાદિત રીતે તરબૂચ ખાવુ જોઇએ. તમારે ડોક્ટરની સલાહ પર જ તરબૂચનું સેવન કરવું જોઈએ.
જે લોકો FODMAPs પ્રત્યે સંવેદનશીલ હોય છે, તેઓમાં તરબૂચનું વધુ પડતું સેવન કરવાથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસ્તંફર્ટ થઈ શકે છે. તેથી ફળના વધુ ફાયદા મેળવવા માટે તમે દિવસમાં માત્ર 2 કપ એટલે કે 300 ગ્રામનું સેવન કરો તો સારું. FODMAPsએ એક પ્રકારનું શોર્ટ-ચેન કાર્બોહાઇડ્રેટ (શુગર) છે જે નાના આંતરડા દ્વારા ખરાબ રીતે શોષાય છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો FODMAP માં આવતી વસ્તુઓનું સેવન કરે તો પાચન સંબંધી તકલીફ અનુભવી શકે છે.
તરબૂચમાં લાઈકોપીન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે ઘણા ફાયદા આપે છે. પરંતુ ઘણી વખત વધારે સેવનથી લાઈકોપીનનું વધુ પડતું સેવન કરવાથી શરીરને થોડું નુકસાન પણ થાય છે. આ સંયોજનના ઓવરડોઝથી અપચો, ઝાડા, ઉલટી, ઉબકા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
જો તમને કોઈપણ પ્રકારની એલર્જી છે, તો તમારે તરબૂચનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. તરબૂચ ખાવાથી કેટલાક લોકોમાં એલર્જીની સમસ્યા જોવા મળી છે.
તેમાં ડાયટરી ફાઈબર અને પાણીનું પ્રમાણ વધુ હોય છે. આવી સ્થિતિમાં એક સાથે વધુ માત્રામાં શરીરમાં જવું નુકસાનકારક હોઈ શકે છે. આના કારણે તમને ઝાડા, પેટનું ફૂલવું, ગેસ, સોજા વગેરેની સમસ્યા થઈ શકે છે.
તરબૂચમાં પાણીની માત્રા ખૂબ વધારે હોય છે, તેથી દિવસમાં વધુ પડતું તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની માત્રા વધી શકે છે. આને તબીબી ભાષામાં વોટર ઇન્ટોક્સિકેશન કહે છે. આવી સ્થિતિમાં, શરીરમાં સોડિયમનું સ્તર ઘટી શકે છે. જો શરીરમાં પાણીની માત્રાને યોગ્ય સમયે નિયંત્રિત ન કરવામાં આવે તો તે લોહીની માત્રામાં પણ વધારો કરી શકે છે, જેના કારણે થાક અનુભવાય છે. પગમાં સોજો, કિડની સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.