આમળા વિટામીન સી અને એન્ટીઓક્સીડન્ટ્સથી ભરપૂર હોવાની સાથે હેલ્થને ફાયદો કરે છે પણ તેનું વધારે સેવન આ સમસ્યાઓ સર્જે છે.
આમળા વધારે છે ઈમ્યૂનિટી
હેલ્થ માટે છે લાભદાયી
વધારે પડતા સેવનથી થાય છે આ બીમારીઓ
કોરોના મહામારીના સમયમાં વિટામીન સી અને એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર આમળા વધારે ખવાઈ રહ્યા છે. લોકો તેને ઈમ્યુનિટી બૂસ્ટરની જેમ યૂઝ કરે છ. મોટી સંખ્યામાં લોકો હવે આમળાનો જ્યૂસ પણ પીવે છે. તેનો મુરબ્બો પણ યૂઝ કરે છે. વજન ઘટાડવાની સાથે સાથે અલ્સર અને કેન્સર જેવી બીમારીથી બચવામાં પણ આમળા મદદ કરે છે. પરંતુ જો તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી લેવાય તો તમે આ બીમારીઓનો શિકાર બની શકો છો.
કબજિયાતનો શિકાર બનાવે છે
આમળા ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. એક તરફ તે ફાઈબરથી ભરપૂર હોવાથી કબજિયાતથી રાહત અપાવે છે. આ સાથે વઘારે સેવનથી કબજિયાતની સમસ્યા રહે છે અને તબિયત બગડી શકે છે. એટલું નહીં જેને કબજિયાતની તકલીફ નથી તેને પણ પેટ ફૂલવાની અને પગમાં ગટ્ઠાની સમસ્યા થઈ શકે છે.
લોહીને કરે છે પાતળુ
આમળામાં એન્ટી પ્લેટલેટ્સ પ્રોપર્ટીઝ હોય છે તેના કારણે વધારે આમળાનું સેવના કરાય તો લોહી પાતળું થઈ જાય છે. બ્લડ ક્લોટિંગની પ્રક્રિયાને રોકી દે છે. આ સમયે સ્કીન કપાય કે કંઈ વાગે તો લોહી રોકાવવાની સમસ્યામાં મુશ્કેલી આવે છે. જે લોકોને લોહીની કોઈ બીમારી હોય તેઓએ આમળાનું સેવન ન કરવું જ લાભદાયી માનવામાં આવે છે.
લો બ્લડ શુગરવાળાએ ન ખાવા
આમ તો એક રિસર્ચમાં કહેવાયું છે કે આમળા ડાયાબિટિસનો ઈલાજ કરી શકે છે કેમકે તેમાં એન્ટી ડાયાબિટિસ ઈફેક્ટ હોય છે જે બ્લડ ગ્લૂકોઝ લેવલને ઘટાડે છે. જો કોઈ વ્યક્તિને લો બ્લડ શુગરની તકલીફ હોય તો તેને માટે ચાલી રહેલી દવા સાથે આમળા ન ખાવા. તેનાથી લોહીમાં શુગરનું લેવલ વધારે ઘટી જાય છે અને સાથે હાઈપોગ્લાઈસીમિયા થઈ શકે છે.
પ્રેગનન્સીમાં ન ખાવા
આમ તો આમળા ખાવાથી પ્રેગનન્સીમાં મુસ્કેલીઓ આવી શકે છે તેમ સાબિત થયું નથી પણ ગર્ભાવસ્થામાં આમળા ખાવું સેફ છે એ વાત પણ સાબિત થઈ નથી. આ માટે સારું એ રહેશે કે ગર્ભવતી મહિલાઓ આમળા ખાતા પહેલાં ડોક્ટરની સલાહ લે. સાથે વધારે માત્રામાં આમળા ખાવાથી કબજિયાત અને ડાયરિયા પણ થઈ શકે છે.
શરદી અને ઉધરસમાં પણ ન ખાઓ
આમળાની તાસીર ઠંડી માનવામાં આવે છે. આ કારણે તે શરીરના તાપમાનને ઘટાડે છે. જો તમે શરૂદ કે ખાંસી ધરાવો છો તો આમળાનું સેવન ન કરવું. તે તમારી હેલ્થને સુધારવાને બદલે તેને બગાડી શકે છે. જ્યારે ગરમ પાણી અને મધની સાથે ત્રિફળાનું ચૂરણ આમળા સાથે લેવાય તો તે લાભ કરે છે.