સીતાફળ ખાવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ અમુક લોકોને સીતાફળ ભૂલથી પણ ન ખાવું જોઈએ. તેનાથી ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે.
સીતાફળ ખાવાના ફાયદાની સાથે છે નુકસાન
જાણો કયા લોકોએ ન ખાવું જોઈએ સીતાફળ
આ સમસ્યાઓ છે તો ન ખાઓ સીતાફળ
સીતાફળ (Custard Apple) ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ અમુક લોકો માટે તેને ખાવું નુકસાન કારક પણ સાબિત થઈ શકે છે. સીતાફળ કેટલા પ્રમાણમાં ખાવ છો તેનું ધ્યાન પણ રાખવું જોઈએ. Custard Appleને વધારે પ્રમાણમાં ખાવાથી તમને ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે.
આ સમસ્યાઓ છે તો ન ખાઓ સીતાફળ
ઘણા લોકોને સીતાફળ ખાવાથી એલર્જી થઈ શકે છે. તેના કારણે ખંજવાળ અને સ્કિન પર ચાછા પણ પડી જાય છે. જો તમારે ડાઈઝેશન સાથે જોડાયેલી સમસ્યા છે તો સીતાફળ ન ખાવું જોઈએ. સીતાફળમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. ઘણી વખત તેને વધારે માત્રામાં ખાવાથી પેટમાં દુઃખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે.
વધારે માત્રામાં ન ખાઓ સીતાફળ
સીતાફળમાં આયર્નની ભરપુર માત્રા હોય છે. માટે તેને વઘારે ન ખાવું જોઈએ. તેને વધારે પ્રમાણમાં ખાવાથી ઉલ્ટી અને ઉપકા જેવી સમસ્યા થઈ શકે છે.
જો તમને Low Blood Pressureની સમસ્યા છે તો સીતાફળ ન ખાઓ અથવા તેને થાડા પ્રમાણમાં જ ખાઓ. તેનાથી બ્લડ પ્રેશર અચાનક ખૂબ વધારે ઓછુ થઈ શકે છે અને ચક્કર, બેભાન થવું અને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.
વજન વધી શકે છે.
સીતાફળ કેલેરીથી ભરપુર હોય છે. માટે જો તમે વજન ઘટાડવા માંગો છો તો તેને વઘારે પ્રમાણમાં ન ખાઓ, તેને ખાવાથી તમારૂ વજન વધી શકે છે. તેમાં શુગરનું પ્રમાણ હોય છે. જે વજનને વધારવાનું કામ કરે છે.
ઝેરીલા હોય છે તેના બીજ
સીતાફળના બીજ ઝેરીવા હોય છે. તેને ખાતી ખતે એ વાતનું ધ્યાન રાખો. સીતાફળના બીજ સ્કિન, ખાસ કરીને આંખો પર ટોક્સિક ઈફેક્ટ કરે છે. સ્ટડી અનુસાર, જો તમે સીતાફળના બીજના પાઉડરનો ઉપયોગ કરો છો તો તેમાં ભયાનક દર્દ અને સ્કિન પર લાલ ચકામા પડવાની સમસ્યા થઈ શકે છે.
સીતાફળ ખાવાના ફાયદા
પોષક તત્વોથી ભરપુર સીતાફળમાં વિટામિન C અને એન્ટી ઓક્સીડેન્ટ્સનું પ્રમાણ વધારે હો છે. એક્સપર્ટ્સ અનુસાર, તેનાથી કેન્સર જેવી ગંભીર બિમારીઓનો ખતરો ઓછો થાય છે. સીતાફળમાં હાજર વિટામિન C, વિટામિન A, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વોના કારણે તેને ખાવું પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે વધારે ફાયદાકારક માનવામાં આવે છે.