દહીં સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી છે એ વાત તો બધાં જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકો માટે દહીં ભયંકર નુકસાનકારક પણ હોય છે. તો આ લોકોએ દહીં ખાવું નહીં.
ખૂબ જ ગુણકારી હોય છે દહીં
આ લોકોએ ભૂલથી પણ દહીં ખાવું નહીં
કેટલાક લોકોને નુકસાન પહોંચાડે છે દહીં
દહીંમાં કેલ્શિયમ હોવાથી હાડકાં મજબૂત થાય છે. સાથે જ નિયમિત દહીંનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને હાઈ બીપીની સમસ્યા થતી નથી. પરંતુ કેટલાક લોકો માટે દહીં નુકસાનકારક પણ હોય છે. આ લોકોએ દહીં ખાવું ન જોઈએ. ચાલો જાણીએ.
આર્થ્રાઈટિસના દર્દી
આર્થ્રાઈટિસના દર્દીઓ માટે દહીંનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. સંધિવાના દર્દીઓએ નિયમિત રીતે દહીં ખાવાનું ટાળવું જોઈએ કારણ કે દહીંનું સેવન કરવાથી સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે.
અસ્થમાના દર્દીઓ
અસ્થમાના દર્દીઓ માટે પણ દહીં હાનિકારક બની શકે છે. જો તમને શ્વાસની કોઈ તકલીફ હોય અથવા તમે અસ્થમાના દર્દી હોવ તો તમારે દહીંનું સેવન કરવાનું ટાળવું જોઈએ, અસ્થમાના દર્દીઓ દિવસમાં માત્ર એક વખત દહીં ખાઈ શકે છે પણ રાત્રે દહીં બિલકુલ ન ખાવું.
લેક્ટોઝની એલર્જી
જે લોકોને લેક્ટોઝ ઈન્ટોલરન્સની સમસ્યા હોય તેમણે પણ દહીં ન ખાવું જોઈએ, આવા લોકોને દહીં ખાવાથી ઝાડા અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.
એસિડિટીની સમસ્યામાં પણ દહીં ન ખાવું
જે લોકોને હાઈપર એસિડિટીની સમસ્યા હોય તેમના માટે પણ દહીં નુકસાનકારક છે. આવી સ્થિતિમાં દહીંનું બિલ્કુલ સેવન ન કરવું જોઈએ, ખાસ કરીને રાત્રે દહીં બિલકુલ ન ખાવું.