ગરમી હોય કે ઠંડી ચિલ્ડ પાણી પીવું દરેકને ગમતું હોય છે અને ઠંડુ પાણી પીવાથી તાજગી પણ આવે છે પરંતુ શું તમે જાણો છો કે ભોજન કર્યા બાદ ઠંડા પાણીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને કેવા નુકસાન થઈ શકે છે. જી હાં, ઠંડા પાણીનું સેવન કરવાથી તેની સીધી અસર તમારા પાચનતંત્ર પર થાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા પણ ઘટે છે. સાથે જ ભોજન કર્યા બાદ ઠંડુ પાણી પીવાથી પિત્તાશયને ભારે નુકસાન થાય છે.
જમ્યા બાદ ક્યારેય ન કરવી આ ભૂલ
ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક
રોગપ્રતિકારક ક્ષમતા પણ ઘટે છે
ટોન્સિલની સમસ્યા
આપણે જ્યારે પણ ઠંડુ પાણી પીએ છીએ ત્યારે તમને ખ્યાલ હશે કે ઠંડુ પાણી પીવામાં સામાન્ય કરતાં થોડો વધારે સમય લાગે છે કારણ કે ચિલ્ડ વોટર સામાન્ય ન થાય ત્યાં સુધી મોઢામાં રહે છે અને પછી ગળાથી નીચે ઉતરે છે. જો આપણે ઠંડુ પાણી પીએ છીએ તો શરીરને તેને પચાવવામાં વધુ સમય લાગે છે. વધુ સમય સુધી ઠંડુ પાણી પીવાથી કાકડા એટલે કે ટોન્સિલની સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.
કબજિયાતની સમસ્યા વધે છે
ઠંડુ પાણી શરીરમાં જઈને પાચક રસનું તાપમાન પણ ઓછું કરી દે છે. તેના કારણે ભોજન પચવામાં મુશ્કેલી થાય છે અને ઠંડા પાણીનું સેવન કરવાથી મોટું આંતરડું પણ સંકોચાઈ જાય છે. જે કબજિયાતનું મુખ્ય કારણ છે. જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે ઠંડા પાણીનું સેવન ટાળવું જોઈએ.
હાર્ટ એટેકનો ખતરો
કેટલાક લોકોને એવી આદત હોય છે કે જમતી વખતે અથવા જમ્યાના તરત બાદ ઠંડુ પાણી પીવે છે પરંતુ આ આદત તમારા હૃદય માટે ઘાતકી સાબિત થઈ શકે છે. ભોજન કર્યા બાદ ઠંડુ પાણી પીવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
ં ઈમ્યૂન સિસ્ટમને નુકસાન
બરફનું ઠંડુ પાણી પીવાથી સૌથી વધારે નુકસાન ઈમ્યૂન સિસ્ટમને થાય છે. જેના કારણે શરીર બીમારીઓ સામે લડી શકતું નથી. આ સિવાય ફ્રિઝનું ઠંડુ પાણી પીવાથી આંતરડા સંબંધી રોગ પણ શરીરને ઘેરી લે છે અને પાઈલ્સ થવાનો ખતરો પણ રહે છે.
કફ અને ગળફાની સમસ્યા
ભોજન બાદ ઠંડુ પાણી પીવાથી શરીરમાં કફ બને છે. જ્યારે શરીરમાં વધુ કફ બનવા લાગે છે ત્યારે રોગ પ્રતિકારક ક્ષમતા ઘટવા લાગે છે. જેના કારણે શરદી અને ગળફાની સમસ્યા થવાનો ખતરો વધી જાય છે. જેથી ભોજન કર્યા બાદ ક્યારેય ઠંડા પાણીનું સેવન ન કરવું અને માત્ર સામાન્ય માટલાનું પાણી જ પીવું.