કોરોનાની બીજી લહેરમાં કોરોનાના આંકડા ઓછા થયા અને લોકો પોતાના પરિવાર સાથે ફરવા નીકળી પડ્યા છે
ઉત્તરાખંડના હિલ સ્ટેશન મસૂરીમાં રહેતા ત્રણ લોકોને કોરોના
મસૂરીમાં દિલ્હી સહિત ઘણા રાજયોના પર્યટકો આવ્યા
કેન્દ્ર સરકાર પણ પહાડોમાં ભેગી થતી આ ભીડ જોઇને ચિંતિત
ઉત્તરાખંડના હિલ સ્ટેશન મસૂરીમાં રહેતા ત્રણ લોકોને કોરોના
કોરોનાની બીજી લહેરમાં કોરોનાના આંકડા ઓછા થયા અને લોકો પોતાના પરિવાર સાથે ફરવા નીકળી પડ્યા છે. તેમાં પણ ખાસ કરીને દેશના હિલ સ્ટેશન પર વધુ પડતી ભીડ જોવા મળી રહે છે. આ બધા વચ્ચે એક ગેરજવાબદારી સામે આવી છે. દરેક સ્થળ પર જોવા મળતી આ ભીડમાં લોકો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતાં હોવા મળી રહ્યા છે. આ ભીડ જોઈને તો PM મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. પણ આ હવે બેદરકારીની સાઈડ ઇફેક્ટ સામે આવી છે. મસૂરીમાં ત્રણ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
મસૂરીમાં દિલ્હી સહિત ઘણા રાજયોના પર્યટકો આવ્યા
નોડલ અધિકારી ડૉક્ટર પ્રદીપ રાણાએ કહ્યું કે આ ત્રણેય લોકો છાવણી બોર્ડ વિસ્તારમાં રહેતા હતા અને હાલ આ ત્રણેયને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત આ ત્રણ લોકના સંપર્કમાં આવેલ 17 લોકોનો પણ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે પણ તેનો રિપોર્ટ હજી સુધી આવ્યો નથી. આ બધા વચ્ચે હવે એ વાત નક્કી છે કે કોરોનાની ત્રીજી લહેર જલ્દી જ આવશે તેવા એંધાણ આવી રહ્યા છે. તેમાં છતાં લોકો સહેજ પણ ડર્યા વિના નૈનીતાલ, મસૂરી અને મનાલી જેવા પર્યટક સ્થળ પર સતત ભીડ જોવા મળી રહી છે. ગયા થોડા દિવસોમાં એવા વિડીયો સામે આવ્યા જયાં આ બધા હિલ સ્ટેશન પર વાહનોની લાંબી કતારો જોવા મળી. જેમાં કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહીં.
પર્યટકોને લઈ કરી છે ટ્વિટ
PM મોદીએ કહ્યું કે લોકો એવું માંની રહ્યા છે કે ત્રીજી લહેર પેહલા તેઓ થોડું ફરી લે, પણ ત્રીજી લહેર સામેથી નહીં આવે તેને લાવવામાં આવશે. વેકસીનેશનને લઈ અમે દરેક લોકોને જાગૃત કરવા પડશે. તેમણે કહ્યું કે આપણે કોરોનાના દરેક વેરિયન્ટ પણ નજર રાખવી પડશે. આ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે હિલ સ્ટેશન પર જે ભીડ થઈ રહી છે તે ઘણો ચિંતાનો વિષય છે. અહિયાં લોકો માસ્ક વિના ફરી રહ્યા છે. ટ્વિટ કરતાં પણ તેમણે આ જ વાત સમગ્ર દેશવાસીઓને કહી.