કોરોના મહામારીએ લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનું પણ કામ કર્યું છે.
આદુના ગેરફાયદા પણ છે
આડેધડ ન ખાવુ જોઇએ આદુ
પ્રેગનેન્ટ લેડીને આદુ ખાવાથી બચવુ
ગરમ પાણીની સાથે હવે લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવાના અનેક નુસખા પણ અજમાવી રહ્યા છે. ઈમ્યુનિટી વધારવા માટે બજારમાં અનેક રસાયણયુક્ત દવા, ખાદ્યપદાર્થ મળી રહ્યા છે, પરંતુ શું આપણે જાણીએ છીએ કે ઈમ્યુનિટી વધારવા માટે આપણા ઘરમાં જ રોજિંદા વપરાશમાં આવતી વસ્તુ સૌથી ઉપર આવે છે.
અનેક આયુર્વેદિક ગુણોથી ભરપૂર આદું ખાવાની સાથે દવા બનાવવા માટે પણ ઉપયોગી છે. ખાંસી, શરદી, તાવની દવા માટે અને ઘરેલુ નુસખામાં આદું પ્રથમ સ્થાને આવે છે, જોકે આપને જાણીને નવાઈ લાગશે કે આદુંના ફાયદાની સાથે અનેક નુકસાન પણ છે. કોઇ પણ વસ્તુનો અતિરેક હંમેશાં નુકસાનકારક હોય છે. આદુંનો માપસર ઉપયોગ યોગ્ય છે, પરંતુ વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તકલીફો નોતરે છે.
ઝાડા થઈ શકે છે
આદુંનો વધુ પડતાે ઉપયોગ આપણી પાચનક્રિયાને અસર કરી શકે છે. આદુંના વધુ પડતા ઉપયોગના કારણે પાચનક્રિયા ઝડપી અથવા મંદ પડે છે. કોરોનાકાળમાં લોકોએ ઈમ્યુનિટી વધારવા માટે આદુંનું પ્રમાણ વધારતાં ડાયઝેશન ખરાબ થયું છે. આ સમયગાળામાં લોકોમાં ડાયરિયાનું પ્રમાણ પણ વધતું જોવા મળ્યું છે.
ગેસ અને એસિડિટીની સમસ્યા
આદુંના વધુ પડતા ઉપયોગથી છાતીમાં દુખાવો, છાતીમાં ગેસ ભરાઈ જવાની સમસ્યા પણ જોવા મળી છે. વધુ પડતા આદુંથી પેટમાં ગેસ પણ બને છે, જે તમને બેચેન કરે છે. કેટલાક લોકોને આદું વધુ પડતું ખાવા કે પીવાથી એસિડિટી પણ થઇ શકે છે.
પ્રેગ્નન્સીમાં સંભાળીને ઉપયોગ
મહિલાઓએ આદુંનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન તો આદુંનું પ્રમાણ ઘટાડવું જરૂરી છે. આદુંવાળી ચા કે જમવામાં આદું લેતાં પહેલાં ડોક્ટરને જરૂરથી જાણ કરવી, કારણ કે જો પ્રેગ્નન્ટ વુમન દિવસમાં ૧૫૦૦ ગ્રામથી વધારે આદું લઈ લે તો ગર્ભપાતનો ખતરો વધી શકે છે.
શુગર અને બ્લડ પ્રેશર પર અસર
જો તમે શુગર અને બીપીના દર્દી છો તો પણ તમારે આદુંનો ઉપયોગ ખૂબ જ ધ્યાનથી કરવો જરૂરી બને છે. આદું શુગર લેવલ ઘટાડે છે અને લોહીને પણ પાતળું કરે છે. તેથી બ્લડ પ્રેશર પણ નીચું જ રહે છે.