પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવા સિવાય પણ શરીરને અન્ય વિટામિન્સ અને મિનરલ્સની જરૂર પડે છે. જેના માટે લોકો ડ્રાઈ ફ્રૂટ્સ ખાતા હોય છે. જેમાંથી એક બેસ્ટ ડ્રાયફ્રૂટ છે બદામ. પણ શું તમે જાણો છો કે બદામ ખાવાના કેટલાક ગંભીર નુકસાન પણ છે. ચાલો જાણીએ.
રોજ બદામ ખાતાં લોકો થઈ જાઓ સાવધાન
પોષક તત્વોથી ભરપૂર બદામ ખાવાના કેટલાક નુકસાન પણ છે
આ લોકોએ બદામ ન ખાવી
બદામમાં અઢળક ગુણ રહેલા છે જે આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામમાં ફાઇબર, પ્રોટીન, ફેટ, વિટામિન E, મેગ્નેશિયમ હોય છે. આ સિવાય તેમાં કોપર, વિટામિન B2 તથા ફોસ્ફરસ પણ હોય છે. પરંતુ ઘણાં લોકો એવા છે જેમને બદામ ખાવાથી ગંભીર નુકસાન થાય છે. ચાલો જાણીએ.
બીપીથી પરેશાન લોકો
આજકાલ ઘણાં લોકોને બીપીની સમસ્યા હોય છે. તો આવા લોકોએ બદામ ન ખાવી જોઈએ. કારણ કે હાઈ બીપીના દર્દીઓએ બીપી કંટ્રોલ કરવા માટે દવાઓ લેવી પડે છે. એવામાં બદામનું સેવન તેમના માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
પથ્થરના દર્દીઓ
બદામમાં ઓક્સલેટ હોય છે. જે લોકો પિત્તાશયમાં કે કિડનીમાં પથરીની સમસ્યાથી પરેશાન છે તેમણે બદામ ખાવી નહીં, કારણ કે તેમાં રહેલાં ઓક્સલેટથી આડઅસર થઈ શકે છે.
પાચનની સમસ્યાથી પરેશાન
ઘણા લોકોને પાચનની સમસ્યા હોય છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો બદામ ખાવાનું બંધ કરી દો. કારણ કે બદામ પ્રોટીન અને વિટામિનથી ભરપૂર હોય છે. જેના કારણે તમને તેને પચાવવામાં વધુ તકલીફ થઈ શકે છે. આ સિવાય જે લોકોને એસિડિટીની સમસ્યા હોય છે તેને તે ન ખાવા જોઈએ, તેમણે પણ બદામ ન ખાવી. તેમાં ફાઈબર વધુ હોય છે, જેના કારણે ગેસની સમસ્યા થઈ શકે છે.
વજન ઘટાડવા માંગતા હોવ તો ન ખાઓ
જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમણે બદામ ન ખાવી જોઈએ. કારણ કે બદામમાં કેલરી અને ફેટ હોય છે. જેથી તેનું રોજ સેવન કરવાથી તમારું વજન ઘટવાની જગ્યાએ વધી શકે છે.