સિદ્ધિવિનાયક મંદિરને 35 કિલો સોનું દાન મળ્યું છે. મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર દેશના સૌથી ધનિક મંદિરોમાંનું એક માનવામાં આવે છે. જેણે પણ મંદિરમાં 35 કિલો સોનું દાન કર્યું હતું, તેને ખરીદવા માટે લગભગ 14 કરોડ ખર્ચ કરવો પડ્યો હશે.
સિદ્ધિવિનાયક મંદિરને 35 કિલો સોનું દાન
મંદિરના દરવાજા પર લગાવાઇ સોનાની પ્લેટ
ભક્તનું નામ જાહેર કરવા મંદિરનો નનૈયો
મંદિર સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દાન ગયા અઠવાડિયે આપવામાં આવ્યું છે. સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિને દરવર્ષે કરોડો રૂપિયાનો ચઢાવો આવે છે. મોટાભાગનું દાન રોકડ સ્વરૂપે હોય છે તો કેટલાક શ્રદ્ધાળુઓ સોનું, ચાંદી અને કીંમતી રત્ન પણ દાનમાં ચઢાવે છે.
સોનામાંથી મંદિરના દરવાજા અને છત બનાવવામાં આવશે
સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ આદેશ બાંડેકરે કહ્યું, "એક ભક્તએ 35 કિલો સોનું દાન આપ્યું છે" આ સોનાનો ઉપયોગ મંદિરના દરવાજા અને છત બનાવવા માટે કરવામાં આવશે.
ભક્તનું નામ આપવા ટ્રસ્ટનો નનૈયો
જો કે, મંદિર સાથે સંકળાયેલા લોકોએ 35 કિલો સોનાનું દાન કરનારા ભક્તની ઓળખ જાહેર કરવાનો નનૈયો ભણ્યો છે. સોનાની છત પરથી ઝૂલતું મોટું ઝુમ્મર જોવું અને સોનાના દરવાજામાંથી સિદ્ધિવિનાયકના દર્શન કરવા એ એક અલગ અનુભવ છે. પ્રથમ મંદિરના દરવાજા લાકડાના હતા અને તેના પર ચમકતું પેઇન્ટ કરવામાં આવેલ. છત પણ પહેલાં આવી જ હતી.
મંદિરમાં લગાવાઇ સોનાની પ્લેટ
જેટલું સોનું દાન કરવામાં આવ્યું છે, તે મંદિરમાં વાપરવામાં આવ્યું છે. 15 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી મંદિર બંધ રહ્યું હતું. તે દરમિયાન સોનાની પ્લેટ ચઢાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.