આજે દુંદાળા દેવનું પર્વ, આજે ગણેશ ચતુર્થી નિમિત્તે વિધનહર્તાના દર્શન માટે અમદાવાદ સહિતના સ્થળોએ ભક્તોની ભીડ જામી હતી.
આજે ગણેશ ચતુર્થીનું પાવન પર્વ. ગુજરાતમાં ભક્તો કોરોનાની ગાઇડલાઇન મુજબ ગણેશ ચતુર્થીની ઉજવણી અને ગણેશ સ્થાપનની પરવાનગી મળી ચૂકી છે. અને ભક્તો શ્રદ્ધાળુઓ ગાઈડલાઇનનું પાલન કરીને દર્શન કરી રહ્યા છે
સિદ્ધિ વિનાયક મંદિરનું અનેરું મહત્વ
મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરની જેમ અમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે પણ ભક્તો ખૂબ આસ્થા સાથે આવે છે અને તેનું અનેરું મહત્વ છે. દર્શન કરવા લોક માન્યતા અનુસાર સિદ્ધિ વિનાયક મંદિર 400 વર્ષ જૂનું છે
રાજા પેશ્વા કાલીનના સમયમાં મંદિરનું થયું હતું નિર્માણ
આ મંદિરનું નિર્માણ પેશ્વાઑના કાળમાં થયું હોવાનું માનવામાં આવે છે. આજે સવારથી જ અહીં મંદિરમાં ભીડ ઉમટી હતી.
આજથી ગણેશોત્સવનો પ્રારંભ
સૌરાષ્ટ્રમાં 1 હજાર 200થી વધુ પંડાલો તૈયાર કરાયા હતા. કોરોનાને પગલે માત્ર ત્યાં જો કે આરતી અને પૂજા થશે તો ઘણા બધા લોકોએ ઘરમાં જ પ્રતિમાનું સ્થાપન કરવાનું નક્કી કર્યુ હતું.