મુંબઈ: સ્થાનિક પોલીસે HDFC બેંકના વાઈસ પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સંઘવીની હત્યામાં નવો ખુલાસો કર્યો છે. સંઘવીની હત્યા માત્ર રૂ. 35 હજાર માટે કરવામાં આવી છે. પોલીસે સરફરાઝ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ કબૂલાત કરી છે કે તેના માથા પર બાઈકના રૂ. 35 હજારનું દેવું હતું.
જેના પગલે તેણે આ કરતૂતને અંજામ આપ્યો. ઉલ્લેખનીય છે કે આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો છે. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે માત્ર લૂંટ ચલાવવા માગતો હતો. પણ ભૂલથી હત્યા થઈ ગઈ. જેથી તેની પાસે સંઘવીની હત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહતો.
EMIની રકમ ચૂકવવા માટે આરોપીએ સંઘવીની ચાકૂથી હત્યા કરી દીધી. સંઘવીએ પૈસા આપવાનું ના કહેતા આરોપીએ હત્યા કરી હતી. તો આરોપીને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો અને તેણે ગુનાની પણ કબૂલાત કરી છે. તેણે કોર્ટમાં કહ્યું કે કમલા મિલ્સમાં સંઘવીની હત્યા કરી અને બાદમાં મૃતદેહને કલ્યાણ હાજી મંગલ રોડ પર ફેંકી દીધો હતો.
શું બની હતી ઘટના
ઉલ્લેખનીય છે કે ગત બુધવારથી મુંબઇની HDFC બેંકના વાઈસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવી ગાયબ થયા હોવાના સમાચાર જાહેર માધ્યમોમાં ફરતા થયા હતા. આ બનાવ બાદ સોમવારના રોજ કલ્યાણના હાજી મંગલ વિસ્તારમાંથી HDFC બેંકના પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવીનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે જ્યારે સંઘવી અને શેખ વચ્ચે પૈસાને લઈને પાર્કિંગમાં વિવાદ થયો તો સંઘવીએ એલાર્મ વગાડી દીધું હતું જેનાથી ગભરાઈને શેખે સંઘવી પર હુમલો કરી દીધો. જો કે આ ઘટના માત્ર 35000 માટે બની હોવાની જાણકારી જાહેર માધ્યમોને જણાવેલ.