આજથી વિધિઓ શરૂ થઈ ગઈ છે. લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ આજે સિદ્ધાર્થ અને કિઆરાની મહેંદી સેરેમની છે. મહેમાનો માટે 84 રૂમ અને 70 લક્ઝરી વાહનો બુક કરવામાં આવ્યા છે.
આ સ્ટાર કપલ 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે
કિઆરા અને સિદ્ધાર્થના લગ્નની વિધિઓ આજથી શરૂ થઈ ગઈ
મહેમાનો માટે 84 રૂમ અને 70 લક્ઝરી વાહનો બુક કરવામાં આવ્યા
કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના લગ્નને લઈ ચર્ચામાં છે. આ સ્ટાર કપલના લગ્ન રાજસ્થાનના જેસલમેરમાં લગ્નના સાત ફેરા લેશે. અગાઉ કિઆરા અને સિદ્ધાર્થના લગ્ન વિશે એવા અહેવાલો આવ્યા હતા કે આ સ્ટાર કપલ 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. હવે મીડિયા અહેવાલ અનુસાર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન 7 ફેબ્રુઆરીના રોજ થશે.
લગ્નની તમામ વિધિઓ 5 થી 7 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે, આજથી વિધિઓ શરૂ થઈ ગઈ છે. લગ્નની વિધિ માટે મહેમાનો પણ જેસલમેર પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ આજે સિદ્ધાર્થ અને કિઆરાની મહેંદી સેરેમની છે. મહેમાનો માટે 84 રૂમ અને 70 લક્ઝરી વાહનો બુક કરવામાં આવ્યા છે. લગ્નની વિધિ દરમિયાન કોઈને ફોન અંદર લઈ જવાની મંજૂરી નથી. 100 થી વધુ ખાનગી સિક્યોરિટી ગાર્ડ હોટલની સુરક્ષા સહિતની સમગ્ર વ્યવસ્થા જોઈ રહ્યા છે. બંને પરિવારના ખૂબ જ નજીકના સભ્યો અને મિત્રો આ લગ્નનો ભાગ બનશે.
અંબાણી પરિવાર જેસલમેર પહોંચ્યો
કિઆરાના લગ્નમાં અંબાણી પરિવાર હાજરી આપવાના સમાચાર સામે આવી રહ્યા હતા. હવે અંબાણી પરિવાર જેસલમેર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ઈશા અંબાણી કિઆરાની બેસ્ટ ફ્રેન્ડ છે, તેથી તેમનુ આવવું જરૂરી હતું.
12 ફેબ્રુઆરીએ મુંબઈમાં રિસેપ્શન આપશે
બોલીવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી લગ્ન પછી બે રિસેપ્શન આપવા જઈ રહ્યા છે, એક સિદ્ધાર્થના પરિવાર અને મિત્રો માટે દિલ્હીમાં અને બીજું મુંબઈમાં કિઆરાના પરિવાર અને મિત્રો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આપશે. હવે અહેવાલો સામે આવી રહ્યા છે કે કપલ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં લગ્નનું રિસેપ્શન આપવા જઈ રહ્યું છે.