ભારતીય અર્થવ્યવસ્થા સ્પષ્ટપણે પોતાની ઝડપ ગુમાવી રહી છે. તથા વૃદ્ધિ માટે પ્રોત્સાહીત કરવા માટે એક નિર્ણાયક નાણાકીય નીતિ અપનાવવાની જરૂર છે. આ વાત ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે 3થી 6 જુન વચ્ચે થયેલી નાણાકીય નીતિ સમિતિની સમીક્ષા બેઠકમાં કહી છે. આપને જણાવીએ કે, આ બેઠક બાદ રિઝર્વ બેન્કે નીતિગત વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. રિઝર્વ બેન્કે ગુરુવારે આ બેઠક પર નિવેદન આપ્યું હતું.
શક્તિકાંત દાસે કહ્યું કે, એપ્રિલ 2019માં નીતિગત દરોમાં કરવામાં આવેલો ઘટાડા બાદ આર્થિક પરિસ્થિતિઓ વધારે સ્પષ્ટ થઇ છે. એમણે અહીં કહ્યું કે, સ્પષ્ટ રીતે આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી પડી રહી છે. એમણે કહ્યું કે ગત બે નીતિગત દરોમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચ્યા બાદ પણ 2019-20 માં મુખ્ય ફુગાવો 4 ટકા નીચે રહેવાનું અનુમાન છે. GDP નો વૃદ્ધિદર ગત વર્ષના ફોર્થ ક્વાર્ટરમાં ઘટીને 5.8 ટકા રહી ગયો છે.
શક્તિકાંત દાસે કહ્યું કે, ''કુલ મળીને વૃદ્ધિની ધારણા સ્પષ્ટ રીતે કમજોર પડી રહી છે. જ્યારે ફુગાવો 2019-20માં 4 ટકાથી નીચે રહેવાનું અનુમાન છે. આ વાતને ધ્યાનમાં રાખતા આપણે એક નિર્ણાયક નાણાકીય નીતિ અપનાવવાની જરૂર છે. એવામાં મારુ માનવું છે કે, રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવો જોઇએ''. એમણે બેઠકમાં નાણાકીય નીતિનું વલણ તટસ્થતાથી નરમી તરફ કરવાનું સમર્થન આપ્યું. અહીં એ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે, વૃદ્ધિ માટે ભવિષ્યમાં વધુ પગલા ઉઠાવી શકાય તેમ છે. રિઝર્વ બેન્કે આ મહીનાની શરૂઆતમાં સતત ત્રીજી વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આ પ્રકારે જાન્યુઆરી 2019 બાદ થી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કરી ચૂકી છે.
સમિતિના સભ્યો અને રિઝર્વ બેન્કના ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યે કહ્યું કે આર્થિક વૃદ્ધી મધ્યમ છે. ગત બે ક્વાર્ટરમાં તેની ઝડપ નોંધનીય રીતે ધીમી પડી છે. સાથે જ કેટલાક અન્ય જોખમો પણ છે. જેમાં નબળુ ચોમાસુ અને ક્રુડ ઓઇલની કિંમતોમાં ઉતાર-ચઢાવ સામેલ છે.
એમણે કહ્યું કે, ''હું નીતિગત દરને 6 ટકાનો ઘટાડો કરીને 5.75 ટકા કરવાના પક્ષમાં મત આપુ છુ.'' આ ઉપરાંત સમિતિના અન્ય સભ્ય કાર્યકારી ડિરેક્ટર માઇકલ દેબવ્રત પાત્રાએ કહ્યું કે, નાણાકીય નીતિ મુખ્ય લક્ષ્યાંક સામે નરમ પડી રહી છે.