શ્વેતા તિવારીએ લગ્નને લઇને પોતાના મંતવ્યો જણાવ્યાં છે. શ્વેતાએ કહ્યું કે તે લગ્નમાં વિશ્વાસ કરતી નથી. તે પોતાની પુત્રી પલકને પણ લગ્ન ન કરવાની સલાહ આપે છે. શ્વેતા તિવારીએ કહ્યું, હું લગ્નમાં વિશ્વાસ કરતી નથી. હું પોતાની પુત્રીને પણ એવુ કહુ છુ કે લગ્ન ના કરશો.
શ્વેતા તિવારીએ લગ્નને લઇને પોતાના મંતવ્યો જણાવ્યાં
પોતાની પુત્રી પલકને પણ લગ્ન ન કરવાની સલાહ આપી
તમે રિલેશનશિપમાં હોવ તો જરૂરી નથી કે લગ્ન કરવા જોઈએે
શ્વેતા તિવારીએ પુત્રી પલકને પણ લગ્ન ન કરવાની સલાહ આપી
શ્વેતા તિવારી ટીવીની મોસ્ટ સ્ટાઈલિશ અને ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંથી એક છે. શ્વેતાની મોટી ફેન ફોલોઈંગ છે. તેમને પ્રશંસકો તરફથી અઢળક પ્રેમ મળે છે. પ્રોફેશનલ લાઈફમાં શ્વેતાએ ઘણુ સારુ કર્યુ છે. પરંતુ અભિનેત્રીની પર્સનલ લાઈફ હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહી છે. શ્વેતાએ બે વખત લગ્ન કર્યા છે. પરંતુ બંને વખત તેનુ લગ્ન જીવન ચાલી શક્યુ નથી. હવે અભિનેત્રીએ પોતાના ભંગાણ લગ્ન પર ખુલીને વાત કરી છે.
શ્વેતાને લગ્નમાં વિશ્વાસ રહ્યો નથી
શ્વેતા તિવારીએ એક અખબાર સાથેની વાતચીતમાં લગ્નને લઇને પોતાના મંતવ્યો જણાવ્યાં છે. શ્વેતાએ કહ્યું કે તે લગ્નમાં વિશ્વાસ કરતી નથી. તે પોતાની પુત્રી પલકને પણ લગ્ન ન કરવાની સલાહ આપે છે. શ્વેેતા તિવારીએ કહ્યું, હું લગ્નમાં વિશ્વાસ રાખતી નથી. હું પોતાની પુત્રીને પણ એવુ જ કહુ છુ કે લગ્ન ના કરશો. આ તેનુ જીવન છે અને હું તેને જણાવતી નથી કે આ જીવન તેણે કેવીરીતે જીવવાનુ છે. પરંતુ હું ઈચ્છુ છુ કે તે આ અંગે નિર્ણય લેતા પહેલા એક વખત સારી રીતે વિચારે. જો તમે એક રિલેશનશિપમાં હોય તો આ જરૂરી નથી કે તમારે લગ્ન જ કરવા જોઈએે.
શ્વેતાએ વધુમાં કહ્યું, જીવનમાં લગ્ન કરવા ખૂબ જરૂરી છે અને લગ્ન વગર જીવન કેવીરીતે ચાલશે. આ ના હોવુ જોઈએ. જો કે, શ્વેતાએ એવુ પણ કહ્યુ, દરેક લગ્નનો અંજામ ખરાબ હોતો નથી. મારા ઘણા મિત્રો છે, જે એક હેપ્પી મેરિડ લાઈફ જીવી રહ્યાં છે અને હું તેમના માટે ખુશ છુ. પરંતુ મેં પોતાના ઘણા મિત્રોને લગ્નમાં સમાધાન કરતા પણ જોયા છે, જે તેના અને તેના બાળકો માટે સારું નથી.