ટેલિવિઝન એક્ટ્રેસ શ્વેતા તિવારી તેની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહી ચૂકી છે. પતિ અભિનવ કોહલી સાથે તેની લડાઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. જોકે, હવે આ સમાચારો પર મૌન ધારણ કરી લેવાયું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં શ્વેતાએ અભિનવથી અલગ થઈને મૂવ ઓન કરવાની વાત કહી હતી, તેણે ત્રીજી વખત પ્રેમમાં પડવાની પણ વાત જણાવી હતી.
એક વેબસાઈટની સાથે વાતચીતમાં શ્વેતા તિવારીએ પોતે પ્રેમમાં હોવાનું સ્વીકાર્યું છે. તેણે કહ્યું, તે તેના બાળકોના પ્રેમમાં છે. હાલ તેની પ્રાથમિકતા તેનો દિકરો રેયાંશ અને દીકરી પલક તિવારી છે. તે હવે પોતાનો સમય તેના બાળકોને આપવા માગે છે.
તેણે તેના નિષ્ફળ લગ્નજીવન અંગે પણ ચર્ચા કરી અને કહ્યું, જીવનમાં આપણી આસપાસ ઘણાં એવા લોકો હોય છે જેઓ સક્સેસ હાંસલ કરી શકતા નથી અને તેઓ હમેશાં સક્સેસફુલ લોકોને હેરાન કરતાં હોય છે, કારણ કે તેઓ કંઈ જ નથી કરી શકતા તો સક્સેસફુલ લોકોનું અપમાન કરી શકે છે.
તમને જણાવી દઈએ કે 1998માં રાજા ચૌધરી સાથે શ્વેતાએ પહેલાં લગ્ન કર્યા હતા. બંનેની એક દીકરી પલક પણ છે. પણ વર્ષ 2013માં બંને અલગ થઈ ગયા. ત્યારબાદ શ્વેતાએ ટીવી એક્ટર અભિનવ કોહસી સાથે લગ્ન કરી લીધા. બંનેને એક દિકરો રેયાંશ કોહલી છે.
શ્વેતા તિવારીના વર્કફ્રંટની વાત કરીએ તો હાલ તે સીરિયલ 'મેરે ડેડ કી દુલ્હન' સીરિયલમાં કામ કરી રહી છે. આ શોમાં તેણે વરૂણ બડોલાના લવ ઈન્ટરસ્ટનો રોલ નિભાવ્યો છે. શો ધીરે-ધીરે દર્શકોના દિલમાં જગ્યા બનાવી રહ્યું છે.