બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિના ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિત દરેક સોશ્યલ મિડીયા અકાઉન્ટ બંધ થઇ ગયા છે. સુશાંતના મોતના 4 મહિના બાદ આ ઘટના ઘટી છે.
સુશાંતની બહેન શ્વેતાના અકાઉન્ટ ગાયબ
સોશ્યલ મિડીયા છોડવાની ન કરી હતી વાત
સુશાંતના મોતને વિતી ગયા 4 મહિના
શ્વેતા સુશાંતની મોત બાદ જસ્ટિસ ફોર એસએસઆર અભિયાનમાં સૌથી આગળ રહી. હજુ સુધી તે સ્પષ્ટ નથી થઇ શક્યું કે શ્વેતાએ એકાઉન્ટ કેમ બંધ કર્યા છે કારણકે તેમણે સોશ્યલ મિડીયા છોડવાની કોઇ વાત નહોતી કરી અને અચાનક તેમના એકાઉન્ટ ગાયબ થઇ ગયા હતા. સુશાંતના ફેન્સ આ જાણીને થોડા હેરાન છે અને ટ્વિટર પર સ્ક્રિનશૉટ વાયરલ થઇ રહ્યાં છે.
રાજપૂતના નિધન બાદ બોલિવૂડમાં નેપોટિઝમનો વિવાદ શરૂ થઇ ગયો હતો પરંતુ તેમના પરિવારે અભિનેત્રી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. બાદમાં મુંબઇ પોલિસે તપાસ કરી અને પાછળથી કેસ સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો.
સુશાંતની બહેન સતત સોશ્યલ મિડીયા પર સુશાંતને ન્યાય અપાવવાના પ્રયત્નોમાં લાગેલી છે ત્યારે સુશાંતના ફેન્સને તે પોતાની એક્સટેંડેડ ફેમિલી માને છે. અંકિતા લોખંડે પણ આ અભિયાનમાં શ્વેતા સાથે ઉભી રહી હતી.
સુશાંતે કર્યુ હતુ સ્યુસાઇડ
સુશાંત સિંહ રાજપૂત મામલામાં ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાની વાતને નકારી કાઢવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જે હાલતમાં સુશાંતની મોત થઇ છે તે જણાવે છે કે આ કોઇ પ્રકારનો ફાઉલ પ્લે નથી પરંતુ આત્મહત્યાનો મામલો છે. એઇમ્સ મેડિકલ બોર્ડે સોમવારે સીબીઆઇ સાથે પોતાની તપાસ પૂર્ણ કરીને આ નિર્ણય જાહેર કર્યો હતો.
સુશાંત સિંહ રાજપૂતની બોડી 14 જૂનના રોજ તેના મુંબઇ સ્થિત ઘરમાં લટકતી જોવા મળી હતી. ફોરેન્સિક અધિકારીઓએ તેમનુ કામ કરી દીધુ છે હવે તપાસ એજન્સીઓની જવાબદારી છે કે સુશાંત કેસ પર કોઇ લોજીકલ નિર્ણય આપે.