જાણીતા ઉદ્યોગપતિ અને એસ્કોર્ટ્સ ગ્રુપના ચેરમેન રાજન નંદાનું નિધન થયું છે. બોલિવુડના એક્ટર અમિતાભ બચ્ચનના વેવાઇ રાજન નંદાએ રવિવારે રાત્રે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જણાવી દઇએ કે રાજન નંદાની કંપની ટ્રેક્ટર અને અન્ય કૃષિ ઉપકરણો બનાવે છે.
રાજન નંદાના પરિવારમાં પત્ની ઋતુ નંદા પુત્ર નિખિલ નંદા પુત્રવધૂ શ્વેતા અને પુત્રી નતાશા છે. રાજનના દીકરા નિખિલના લગ્ન બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા સાથે થયા છે. રાજન નંદાના નિધન અંગે સૌથી પહેલા રિષિ કપૂરની દીકરી અને રણબીરની બહેન રિદ્ધિમા કપૂર સહાનીએ ઈન્સ્ટાગ્રામ પર રાજન નંદાનો ફોટો શેર કરીને આપી હતી.
રિદ્ધિમાએ લખ્યું કે “તમે મહાન હતા અને હંમેશા રહેશો. તમારા પ્રેમ માટે ધન્યવાદ. તમને ખૂબ યાદ કરીશું અંકલ. RIP રાજન અંકલ.” જણાવી દઈએ કે રાજન નંદા રિષિ કપૂરના જીજાજી હતા.