સઉદી અરબ લગભગ 2000 વર્ષથી બંધ પડેલા તેના શહેર હેગ્રાને ખોલવાની તૈયારી કરી રહ્યું છે. જૉર્ડન જેવા ચમક-દમકવાળા શહેરમાં હોવા છતાં આ શહેર વર્ષોથી બંધ પડ્યું હતું. આખા શહેરમાં 111 કબરો છે જેના પર કબરને ન અડવાની ચેતવણી લખી છે.
2000 વર્ષ બાદ શા કારણથી ખુલ્યુ શહેર
આ શહેરમાં માત્ર 111 કબરો જ છે
કબરો ઉપર અરબી ભાષામાં લખાયો છે સંદેશ
કોરોનાના કારણે આવ્યો વિચાર
કોરોના કાળમાં દેશોની અર્થવ્યવસ્થા ખરાબ થઇ ગઇ છે. જેને સુવ્યવસ્થિત કરવા માટે અલગ અલગ પ્રકારની રીત અપનાવી રહ્યાં છે. જેમકે કોરોનાની રસી આવ્યા બાદ અહી પર્યટકોને આવવા દેશે. જેના હેઠળ જ કેટલાક શહેરોને ફરી ખોલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જૉર્ડનમાં વસેલુ આ શહેર હેગ્રા કબરોનું શહેર છે પરંતુ તેનો ઇતિહાસ ખુબ જ શાનદાર હતો.
શું છે ઇતિહાસ
પેત્રા સાથે જોડાયેલા આ શહેરમાં ઇ.સ પૂર્વે ચોથી સદીમાં લોકો રહેતા હતા. ત્યાં અરબનો નાબાટિયંસ સમુદાય રહેતો હતો. વણજારા પ્રકૃતિના આ લોકો ફરી ફરીને મસાલા વેચવાનો વ્યવસાય કરતાં હતા અને રણપ્રદેશમાં જ એક સમૃદ્ધ શહેર વસાવી લીધુ હતુ. બાદમાં રોમન શાસકોનો હુમલો થયો અને અરબ વસાહત લગભગ ખત્મ જ થઇ ગઇ હતી. અત્યારે પણ હેગ્રાની કબરો પર રોમન કલ્ચરની છાપ દેખાય છે.
પહેલા હતું આ નામ
આ શહેરને પહેલા માદાઇન સાલેહના નામથી ઓળખવામાં આવતું હતું. ત્યારે વેપારના કેન્દ્ર સમુ આ શહેર રોમન હુમવા બાદ પણ વ્યાપારમાં ફેલાયેલુ રહ્યું. બાદમાં વ્યાપાર માટે બીજા કેન્દ્રો બનવા લાગ્યા અને આ શહેર ધીરે ધીરે પછાત થતુ ગયુ. હજુ પણ તે કારણ સામે નથી આવ્યું કે આ દેશ ક્યા કારણે ખત્મ થઇ ગયુ અને અહીંની આબાદી ક્યાં ગઇ.
માત્ર 111 કબરો છે
અહીં રણપ્રદેશમાં માત્ર 111 કબરો છે તેના પર અરબીમાં લખ્યુ છે કે, ઉપરવાળો તે લોકોને ન બક્શે જે આ કબરોને અડે કે તેની સાથે છેડછાડ કરે
વર્લ્ડ હેરિટેજ સિટીમાં સામેલ
યુનેસ્કોએ આ શહેરને વર્લ્ડ હેરિટેજની શ્રેણીમાં રાખ્યુ છે. તે માને છે કે હજારો વર્ષો પહેલા અહીંયા એક સમુદાય રહેતો હતો અને આ જગ્યાએ કબરો સિવાય પણ નક્શીદાર ચીજો ટૂટી ફૂટી હાલતમાં છે, જે આધૂનિક સૌંદર્યનું સબૂત છે. સાથે જ રણ હોવા છતાં પણ અહી કેટલાક સ્ટ્રક્ચર બનેલા છે. મિડલ એજમાં અહીં આબાદી ખત્મ થઇ ગઇ હતી.
આટલા લાંબા સમય બાદ સઉદી આ શહેરને ખોલવા જઇ રહ્યું છે. તેની પાછળ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો વિચાર છે. તેમણે વર્ષ 2016માં પોતાના પર્યટનને વધારવા માટેનું એલાન કરી દીધુ હતું. સઉદી વિઝન 2030 હેઠળ ક્રાઉન પ્રિન્સ સઉદીને ન માત્ર પ્રવાસન સ્થળ જ નહી પરંતુ તેને વ્યાપાર માટે મોટુ કેન્દ્ર બનાવવાની તૈયારી કરવામાં આવી છે.
વર્ષ 1812માં એક સ્વિસ ખોજકર્તાએ જોહાન લુડવિંગ બર્કહાર્ટે આ શહેરની ખોજ કરી હતી. યુનેસ્કોએ વર્ષ 1985માં તેને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યુ હતુ.