જે વ્યક્તિ પર શુક્ર ગ્રહની કૃપા વરસે, તેના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી. શુક્ર ગ્રહે 2 મેના રોજ મિથુન રાશિમાં ગોચર કર્યું છે, જેના કાણે 3 રાશિના જાતકોનો ખરાબ સમય ચાલી રહ્યો છે.
વૈદિક શાસ્ત્રમાં શુક્ર ગ્રહને શુભ ગ્રહ માનવામાં આવે છે
શુક્ર ગ્રહે 2 મેના રોજ મિથુન રાશિમાં ગોચર કર્યું
આ રાશિના જાતકોએ ખૂબ જ સંભાળીને રહેવું પડશે
વૈદિક શાસ્ત્રમાં શુક્ર ગ્રહને શુભ ગ્રહ માનવામાં આવે છે. સૌંદર્ય, સુખ-વૈભવ અને કલ્યાણના કારક છ. જે વ્યક્તિ પર શુક્ર ગ્રહની કૃપા વરસે, તેના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અન્ય ગ્રહની જેમ શુક્ર પણ નિયમિતરૂપે રાશિ પરિવર્તન કરે છે. શુક્રના આ ગોચરને કારણે અનેક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનો સંચાર થાય છે તો કેટલીક રાશિઓના જાતકમાં ઉથલ પાથલ થઈ જાય છે. શુક્ર ગ્રહે 2 મેના રોજ મિથુન રાશિમાં ગોચર કર્યું છે. જેના કારણે 3 રાશિના જાતકોનો ખરાબ સમય ચાલી રહ્યો છે. આ રાશિના જાતકોએ ખૂબ જ સંભાળપૂર્વક રહેવું પડશે અને વિશેષ ઉપાય કરવાનો રહેશે.
મીન-
આ રાશિના જાતો માટે શુક્રનું ગોચર અનેક સમસ્યાઓ લઈને આવ્યું છે. બિઝનેસ કરી રહેલા લોકોને નુકસાન થવાની સંભાવના છે. પાર્ટનર સાથેના સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તમારે આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. કાયદાકીય બાબતોમાં તમારા વિરુદ્ધ નિર્ણય આવી શકે છે. અંગત અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવી રાખો. યોગા કરવાથી હાલના મુશ્કેલીભર્યા સમયમાથી પસાર થઈ શકશો.
ધન-
આ રાશિના જાતો માટે શુક્રનું ગોચર હાનિકારક સાબિત થશે. ગોચર કાળ દરમિયાન સમાજમાં માન સમ્માનને નુકસાન થઈ શકે છે. કુંડળીમાં કોઈ ખોટા યોગને કારણે વિવાહેત્તર સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે. આ કારણોસર પાર્ટનર સાથે મનભેદ થઈ શકે છે અને પાડોશી સાથે ઝઘડો થઈ શકે છે. વાહન ચલાવતા સમયે કોઈ દુર્ઘટના થવાની સંભાવના છે. હાલના અશુભ સમયથી બચવા માટે માઁ લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા કરો. તમારી વાણી પર સંયમ રાખો.
કર્ક-
શુક્રના ગોચરથી કર્ક રાશિના જાતોને નુકસાન થઈ શકે છે. તમારા ખર્ચાઓમાં સતત વધારો થશે. આવકની સરખામણીએ ખર્ચામાં વધારો થતા તમે પરેશાન થઈ શકો છો. બિઝનેસમાં નુકસાન થવાની સંભાવના છે. નોકરી અને બિઝનેસમાં પણ નુકસાન થઈ શકે છે. ઘરનું કોઈ વ્યક્તિ અચાનક બિમાર પડી શકે છે. ઈલેક્ટ્રિક વસ્તુઓની ખરીદી કરતા નુકસાન થઈ શકે છે. ઘરમાં કલેશ થઈ શકે છે. આ સમસ્યાઓનું નિવારણ લાવવા માટે શુક્રવારના રોજ ગાયને રોટલી ખવડાવો. છત પર પક્ષીઓ માટે ચણ અને પાણી જરૂરથી રાખો.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)