શુક્રના ગોચર દરમિયાન શુક્ર અને મંગળની યુતિ થવા જઈ રહી છે. શુક્રના રાશિ પરિવર્તનથી કઈ રાશિઓ પર શુભ અસર થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
શુક્ર ગ્રહ બપોરે 01:46 વાગ્યે રાશિ પરિવર્તન કરશે.
તમામ રાશિઓ પર અસર થશે.
રાશિ પરિવર્તનથી કઈ રાશિઓ પર શુભ અસર થશે?
2 મેના રોજ એટલે કે, આજે શુક્ર ગ્રહ બપોરે 01:46 વાગ્યે રાશિ પરિવર્તન કરશે. શુક્ર ગ્રહ વૃષભ રાશિમાથી બુધની મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્ર ગ્રહણના 3 દિવસે શુક્ર ગ્રહ ગોચર કરી રહ્યો છે, જેની તમામ રાશિઓ પર અસર થશે. શુક્ર દેવ એક રાશિમાં 28 દિવસો સુધી રહે છે. શુક્રના આ ગોચર દરમિયાન શુક્ર અને મંગળની યુતિ થવા જઈ રહી છે. શુક્રના રાશિ પરિવર્તનથી કઈ રાશિઓ પર શુભ અસર થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
મેષ- શુક્રના રાશિ પરિવર્તનથી મેષ રાશિના જાતકોનો પરિવાર સાથે સંબંધ વધુ મજબૂત બનશે. સામાજિક મેલજોલ વધશે. બિઝનેસમાં શાનદાર સફળતા પ્રાપ્ત થશે. નોકરિયાત વ્યક્તિઓની સરાહના કરવામાં આવશે અને લાભ પણ થશે.
વૃષભ- નાણાંકીય સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. સંપત્તિ ખરીદવાનો યોગ બની રહ્યો છે. વેપારી વર્ગને લાભ થશે. પાર્ટનર વચ્ચે સારો તાલમેલ રહેશે.
મિથુન- આ રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. ભરપૂર પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે. વિદેશી ચલણથી લાભ થશે અને લવ લાઈફ સારી રહેશે.
સિંહ- આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે. નોકરિયાત વ્યક્તિઓને પ્રમોશન મળી શકે છે. તમામ ઈચ્છાઓ પૂરી થશે. લવ લાઈફ સારી રહેશે.
કન્યા- આ રાશિના જાતકોના ધન ધાન્યમાં વૃદ્ધિ થશે. ભાગ્ય સાથ આપશે. ઓફિસમાં સારું પ્રદર્શન કરશો. બિઝનેસમાં સારો નફો થઈ શકે છે.
કુંભ- અંગત જીવનમાં ખરાબ સમય પસાર જઈ જશે. તમામ સમસ્યાથી રાહત મળશે. આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે. અન્ય ક્ષેત્રે લાભ થશે તથા રોકાણ કરવાથી સારું રિટર્ન મળી શકે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)