આજે યોગિની એકાદશી છે. આ દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા-આરાધના કરવામાં આવે છે. શ્રી નારાયણ ભગવાન વિષ્ણુનું જ નામ છે. આ એકાદશીનું વ્રત કરવાથી દરેક પાપ નષ્ટ થઈ જાય છે અને મોક્ષ મળે છે.
આજે છે યોગિની એકાદશી
શુભ મુહૂર્તમાં કરો પૂજા
પાપોનો થશે નાશ
હિન્દુ ધર્મમાં એકાદશીનું ખાસ મહત્વ હોય છે. આજે યોગિની એકાદશી ઉજવવામાં આવી રહી છે. યોગિની એકાદશીમાં ભક્ત સંપૂર્ણ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પુજા કરવામાં આવે છે અને વ્રત કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી દરેક પાપ નષ્ટ થઈ જાય છે. આ એકાદશી દરેક પાપ નષ્ટ કરવાની સાથે યશને વધારે છે.
યોગિની એકાદશીનું શુભ મુહૂર્ત
યોગિની એકાદશી 23 જૂન રાત્રે 9.41 મિનિટથી શરૂ થઈ ચુકી છે. 24 જૂન રાત્રે 11.12 મિનિટ પર આ સમાપ્ત થશે. વ્રતના પારણાનો સમય 25 જૂન સવારે 5.51થી 8.31 મિનિટ સુધી છે. આજે યોગિની એકાદશીના દિવસ સવાર્થ યોગ અને સિદ્ધિ યોગ પણ બને છે. તેના પ્રભાવથી શુભ મુહૂર્તમાં પૂજા ખૂબ જ લાભકારી સિદ્ધ થશે.
યોગિની એકાદશીનું મહત્વ
પુરાણો અનુસાર યોગિની એકાદશી વ્રત કરવાથી મૃત્યુ બાદ નરક લોકના કષ્ટો નહીં ભોગવવા પડે. જે ભક્ત યોગિની એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ બાદ યમદૂત નહીં દેવદૂત લેવા આવે છે. એવા વ્યક્તિની આત્માને સ્વર્ગમાં સ્થાન મળે છે. યોગિની એકાદશીમાં વ્રતના પુણ્ય અને ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો ભક્ત યોગિની એકાદશીનું વ્રત કરે એછ તો તેને 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનો પૂર્ણ લાભ પણ પ્રાપ્ત થાય છે.
યોગિની એકાદશીની પૂજા વિધિ
સ્નાન કર્યા બાદ વ્રતનું સંકલ્પ લો. ત્યાર બાદ કળશ સ્થાપના કરો. કળશના ઉપર ભગવાન વિષ્ણુની પ્રતિમા મુકીને પુજા કરવામાં આવે છે. ભગવાનને ફળ ફૂલ અર્પિત કરો અને શ્રદ્ધાની સાથે તેમનુ આરતી પુજન કરો. ગોળ-ચણાનો પણ પ્રસાદ ચઢાવો. આ પુજાથી ભગવાન વિષ્ણુ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરશે. ત્યાં જ માતા લક્ષ્મી તમારા ધનના ભંડારને પણ ભરેલા રાખશે.
વ્રતમાં રાખો આ વાતોનું ધ્યાન
વ્રતની રાત્રીમાં જાગરણ કરવું જોઈએ. યોગિની એકાદશી વ્રત કરનારને ક્યારેય ખોટુ ન બોલવું જોઈએ. આ દિવસે જરૂરિયાતમંદોની મદદ કરવી જોઈએ. વ્રત ન કરી રહ્યા હોવ તો પણ આજના દિવસે સાત્વિક ભોજન જ કરો. આ વ્રતને કરતી વખતે વ્રતના બ્રહ્મચર્યનું પાલન કરું જોઈએ અને જમીન પર સુવુ જોઈએ યોગિની એકાદશીનું વ્રત કરનારને પારણા ન થવા સુધી અન્ન ગ્રહણ ન કરવું જોઈએ.