IRCTC શ્રીરામાયણ એક્સપ્રેસની શરૂઆત કરશે. આ ટ્રેન 28 માર્ચથી શરૂ થશે. ટ્રેનમાં કુલ 10 કોચ હશે જેમાં 5 સ્લીપર ક્લાસના એસી વિનાના કોચ અને 5 એસી કોચના 3 ટીયર કોચ હશે. 28 માર્ચે દિલ્હીથી આ ટ્રેનની શરૂઆત કરવામાં આવશે. પર્યટકોને 16 રાત અને 17 દિવસની યાત્રાનો લાભ મળશે.
IRCTC લાવ્યું નવી ટ્રેન
અયોધ્યા સહિત શ્રીરામના આ સ્થળની કરાવશે મુલાકાત
આવું હશે ભાડું અને બુકિંગની વ્યવસ્થા
આ જગ્યાઓની કરાવશે યાત્રા
IRCTCની આ યાત્રામાં અયોધ્યામાં રામ જન્મભૂમિ અને હનુમાન ગઢી, નંદીગ્રામમાં ભારત મંદિર, સીતામઢીમાં સીતામંદિર, જનકપુર, વારાણસીમાં માનસમંદિર અને સંકટ મોચન મંદિર, પ્રયાગમાં ત્રિવેણી સંગમ, હનુમાન મંદિર, ભારદ્વાજ આશ્રમ, શ્રુંગવેરપુરમાં શ્રુંગી ઋષિમંદિર, ચિત્રકૂટમાં રામઘાટ અને સતી અનસુયા મંદિર, નાસિકમાં પંચવટી, હંપીમાં અંજનાદ્રી હિલ અને રામેશ્વરમમાં જ્યોર્તિલિંગ શિવ મંદિર સામેલ છે.
આટલું ચૂકવવાનું રહેશે ભાડું
યાત્રાની મુલાકાત લેનાર પર્યટકોએ 16065 રૂપિયા પ્રતિ વ્યક્તિનું ભાડું સ્લીપર કોચ માટે ચૂકવવાનં રહેશે. એસી કોચ માટે 26775 રૂપિયા આપવાના રહેશે. આ સિવાય સિર્કટની સાથે શ્રીલંકાના રામાયણ સિર્કટના માટે યાત્રા કરવા માટે 40 સીટની સાથે શ્રીલંકામાં એક વધારે યોજના પણ શરૂ કરવામાં આવી છે. બંને સિર્કટમાં યાત્રા કરવા ઈચ્છુક લોકોએ ચેન્નઈમાં 11 એપ્રિલે રામાયણ એક્સપ્રેસ ટૂરિસ્ટ ટ્રેનથી ઉતરીને શ્રીલંકાની એરલાઈન્સથી ઈકોનોમી ક્લાસમાં કોલંબો લઈ જવામાં આવશે.
પર્યટકોને મળશે આ સુવિધાઓ
પર્યટકોને શ્રીલંકામાં કેન્ડી, નુવારા એલિયા, નેગોમબોમાં 3 રાત રહેવાની વ્યવસ્થા આપવામાં આવશે. આ સાથે શ્રીલંકાની યાત્રા માટે દરેક વ્યક્તિએ 37800 રૂપિયા વધારે આપવાના રહેશે. યાત્રાના આ ચરણમાં મુન્નેશ્વરમમાં સીતામંદિર, અશોક વાટિકા, વિભિષણ મંદિર, પ્રસિદ્ધ શિવ મંદિર અને અન્ય અનેક જગ્યાઓ સામેલ છે. પાછા આવવાની વ્યવસ્થા કોલંબોથી દિલ્હીને માટે ઈકોનોમી ક્લાસમાં કરવામાં આવશે. IRCTCએ કહ્યું કે પર્યટક 15 એપ્રિલે દિલ્હી પહોંચશે.