રમઝાનના મહિનામાં જમ્મૂના કટરામાં સ્થિતિ વૈષ્ણો દેવી મંદિરનું સંચાલન કરનાર બોર્ડે ક્વોરન્ટીન કરવામાં આવેલા મુસ્લિમ પરિવારોને સહરી અને ઇફ્તારી આપી. શ્રાઇન બોર્ડના આ પગલાના દરેક જગ્યાએ વખાણ થઇ રહ્યા છે.
કોરોના સંકટ દરમિયાન લગભગ 500 મુસ્લિમ કટરામાં કૉરન્ટાઈન છે
શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે સાંપ્રદાયિક એકતાનું ઉદાહરણ રજુ કર્યું
કોરન્ટાઈન સેન્ટરમાં રહેતા મુસલમાનોને સહરી અને ઇફ્તાર આપી રહ્યું છે
શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરે સાંપ્રદાયિક એકતાનું ઉદાહરણ રજુ કર્યું છે. શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર રમઝાન દરમિયાન જમ્મુના કટરામાં કોરન્ટાઈન સેન્ટરમાં રહેતા મુસલમાનોને સહરી અને ઇફ્તાર આપી રહ્યું છે.
Yet one more shining example of service to humanity being regarded as the highest form of prayer. May the revered Mata Vaishnav Devi bless her भक्त. May their tribe increase!https://t.co/l0HYuuDv3j
— Professor S. A. Abbasi (@Professorabbasi) May 23, 2020
કોરોના સંકટ દરમિયાન લગભગ 500 મુસ્લિમ કટરામાં કૉરન્ટાઈન છે અને દુનિયાભરના મુસલમાનો માટે પવિત્ર મનાતો રમઝાનનો મહિનો પુરો થવા આવ્યો છે.
માર્ચમાં ભારતમાં વધતા કોરોના વાયરસના કેસને જોઈને મંદિરના બોર્ડે આશીર્વાદ ભવનને કોરન્ટાઈન સેન્ટરમાં ફેરવી નાખ્યું હતું. શ્રાઈન બોર્ડના સીઈઓ રમેશ કુમારે ક્હ્યું કે મંદિર રમઝાનના પવિત્ર મહિનામાં લોકોને પારંપરિક સહરી અને ઈફ્તાર આપી રહ્યા છે. બીજી તરફ જમ્મૂ-કાશ્મીર પ્રશાસને બીજા રાજ્યોમાં ફસાયેલા પોતાના લોકોને પાછા લાવવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ પ્રમાણે, જે લોકો આશીર્વાદ ભવનમાં કૉરન્ટાઈન સેન્ટરમાં રહે છે તે પ્રવાસી શ્રમિકો છે
We were informed that Muslims at the quarantine centre are observing fast & need food early in the morning & in the evening. So we changed our schedule accordingly. We will try to provide special recipes to them on Eid: Ramesh Kumar, CEO of Shri Mata Vaishno Devi Shrine Board https://t.co/GU90ylfzOdpic.twitter.com/DRoBokKa3o
લોકોને આ પગલું ઘણું પસંદ આવ્યું છે અને તેને અસલી ભારત ગણાવી રહ્યા છે.
Jammu and Kashmir: Shri Mata Vaishno Devi Shrine Board provides sehri and iftari to Muslims quarantined at Aashirwad Bhawan in Katra, during #Ramzan. pic.twitter.com/cluIYAiJUU