ભક્તિની પરંપરામાં ભગવાન શ્રીકૃષ્ણ સૌથી વધારે આકર્ષિત કરનારા ભગવાન છે. યોગેશ્વર રૂપમાં તે જીવનના દર્શન કરાવે છે તો બાળ રૂપમાં તેમની લીલાઓ ભક્તોના મનને લુભાવે છે. બ્રજ મંડળથી નિકળીને શ્રીકૃષ્ણ ક્યારે અને કેવી રીતે ગ્લોબલ થઈ ગયા ખબર ન પડી. આ જન્માષ્ઠમી પર તમે પણ મુરલી મનોહર શ્રીકૃષ્ણની કૃપા પામવા માટે તેમના મંત્રનો જાપ કરી શકો છો.
हरे कृष्ण हरे कृष्ण
कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम
राम राम हरे हरे॥
16મી સદીમાં ચૈતન્ય મહાપ્રભુના ભક્તિ આંદોલન સમયે પ્રસિદ્ધ થયેલા આ મંત્રને વૈષ્ણવ લોકો 'મહામન્ત્ર' કહે છે. ઈસ્કોનના સંસ્થાપક કે શ્રીલ પ્રભુપાદ જી અનુસાર આ મહામંત્રનો જાપ એ પ્રકારે કરવો જોઈએ જેમ એક શિશુ પોતાની માતાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે રોતો હોય.
'ॐ नमो भगवते श्री गोविन्दाय'
ભગવાન શ્રીકૃષ્ણના આ દ્વાદશાક્ષર (12) મંત્રનો જે સાધક જાપ કરે છે તેને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પ્રેમ વિવાહ કરવાની અભિલાષા રાખનારા જાતકો માટે આ રમાબાણ સાબિત થઈ શકે છે.
'कृं कृष्णाय नमः'
આ પાવન મંત્ર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જણાવવામાં આવ્યો છે. તેના જપથી જીવન સાથે જોડાયેલી તમામ બાધાઓ દૂર થાય છે અને ઘર-પરિવારમાં સુખ અને સમૃદ્ધીનો વાસ થાય છે.
'ॐ श्री कृष्णाय शरणं मम्।'
જીવનમાં આવેલી આપત્તિઓમાંથી નિકળવા માટે ભગવાન શ્રીકૃષ્ણનો આ ખુબજ સરળ અને પ્રભાવી મંત્ર છે. આ મહામંત્રનો જાપ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ બિલ્કુલ એ પ્રકારે મદદ માટે દોડી આવે છે જે પ્રકારે તેઓએ દ્રૌપદીની મદદ કરી હતી.