જન્માષ્ટમીનો તહેવાર દેશમાં ધામધૂમથી 12 ઓગસ્ટના રોજ ઉજવાશે. કોરોનામાં જન્માષ્ટમી પર શક્ય છે કે પહેલાં જેવી રોનક જોવા નહીં મળે. પરંતુ તેમ છતાં તમે કેટલાક નાના પ્રયાસોથી કાન્હાને ખુશ કરી શકો છો. આ ખાસ દિવસે અહીં જણાવેલી 7માંથી કોઈ 1 વસ્તુ પણ ખરીદીને લઈ આવશો તો તે તમારા માટે લાભદાયી રહેશે. આ વસ્તુઓ ઘરમાં સમૃદ્ધિ વધારનારી સાબિત થશે. તો જાણી લો કઈ વસ્તુઓની યાદી છે અને તમે શું ખરીદી લાવશો તે પણ આજે જ નક્કી કરી લો.
જન્માષ્ટમીએ કાન્હાની ભક્તિ સાથે મેળવો પુણ્ય
ઘરે ખરીદી લાવો 7માંથી કોઈ પણ 1 વસ્તુ
નહીં રહે ઘરમાં ધનની અછત
ચંદન
ઘરમાં ચંદનનું હોવું શુભ માનવામાં આવે છે. તેની સુગંધથી વાતાવરણની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. દરેક દેવી દેવતાઓની પૂજામાં પણ ચંદનનું ખાસ મહત્વ હોય છે. ચંદનનું તિલક કરવાથી મનને શાંતિ મળે છે. કારણ કે માથા પર જ્યાં તિલક કરાય છે ત્યાં આજ્ઞા ચક્ર હોય છે.
ચોખ્ખું પાણી
ઘરમાં હંમેશા સાફ પાણીનો ઉપયોગ કરવો, મહેમાનનું સ્વાગત શીતળ જળથી કરવું. આમ કરવાથી કુંડળીના અનેક દોષનો નાશ થાય છે. માણસના માથા પરથી સંકટ પણ ઘટે છે.
વીણા
ઘરના કોઈ શાંત કે એકાંત સ્થાને વીણા રાખવી. વીણાને ઘરમાં રાખવાથી માતા સરસ્વતીની કૃપા બની રહે છે. ઘરના દરેક સભ્યોની બુદ્ધિનો વિકાસ થાય છે. તેને ઘરે લાવતાં જ તમારી મુશ્કેલીઓ દૂર થશે અને ઘરમાં ધનની અછત નહીં રહે.
બાલ ગોપાલ
જો તમે તમારા સંતાન સુખને લઈને ચિંતિત છો તો ઘરની દિવાલ પર બાલ ગોપાલનો ફોટો લગાવો. ઘરની દિવાલો પર કાન્હાનો ફોટો લગાવવાથી તમારી મનોકામના પૂરી થઈ શકે છે.
મધ
ઘરની રસોઈમાં જો મધ ન હોય તો જન્માષ્ટમીએ ખરીદી આવો. મધને ઘરમાં રાખવાથી અનેક વાસ્તુદોષ નષ્ટ થાય છે. પૂજામાં પણ મધ જરૂરી હોય છે. દરેક દેવી દેવતાઓને તે અર્પણ કરાય છે. તેનો ભોગ પણ ચઢાવાય છે. જે ઘરોમાં રોજ પૂજા કરાય છે ત્યાં દેવી દેવતાની વિશેષ કૃપા રહે છે.
વાંસળી
ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે. જે ઘરમાં વાંસળી હોય છે ત્યાં ધન અને પ્રેમની ખામી આવતી નથી. વાસ્તુ અનુસાર પણ તેને ઘરમાં રાખવાથી લાભ થાય છે. વાંસની વાંસળી ઘરમાં રાખવાથી ગૃહક્લેશની સમસ્યા પણ દૂર રહે છે.
ગાયના દૂધનું ઘી
ભગવાન શ્રીકૃષ્ણને ગાય પ્રિય છે. કહેવાય છે કે ઘરમાં ગાયના દૂધથી બનેલું શુદ્ધ ઘી લાવવું જોઈએ. નિયમિત રીતે તેનું સેવન કરવું. તેનાથી શક્તિ મળે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. ઘરમાં સાંજે આ ઘીનો દીવો કરવો. પૂજામાં પણ તેનું ખાસ મહત્વ રહે છે.