દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર 11 અને 12 ઓગસ્ટે ઉજવાઈ રહ્યો છે. ગૃહસ્થ અને પારિવારિક લોકો મંગળવારે 11 ઓગસ્ટે એટલે કે આજે જન્માષ્ટમીનો તહેવાર ઉજવશે અને વ્રત રાખશે. જ્યારે વૈષ્ણવ, સંત વગેરે 12 ઓગસ્ટે આ તહેવારની ઉજવણી કરશે અને વ્રત રાખશે. આજે જાણો જન્માષ્ટમીએ લાલાના ખાસ શ્રૃંગાર અને પ્રસાદનું મહત્વ. જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે 11-12 ઓગસ્ટે મનાવવામાં આવશે. પંચાગ અનુસાર જન્માષ્ટમી 11 ઓગસ્ટ સવારે 9.07થી શરૂ થઈને 12 ઓગસ્ટ સવારે 11.17 સુધી રહેશે. જ્યોતિષીઓનું માનવું છે કે આ જન્માષ્ટમીએ સવારે 8.37 મિનિટે વૃદ્ધિ યોગ બની રહ્યો છે જે અનેક વ્યક્તિઓ માટે લાભદાયી રહેશે.
આજથી શરૂ થયો જન્માષ્ટમીનો તહેવાર
2 દિવસ સુધી ઉજવાશે જન્માષ્ટમી
જાણો શ્રીકૃષ્ણના કયા સ્વરૂપની પૂજાથી મળશે કયું ફળ
કેવો હશે શ્રીકૃષ્ણનો શણગાર
શ્રીકૃષ્ણના શણગારમાં શક્ય તેટલો ફૂલોનો ઉપયોગ કરો. પીળા રંગના વસ્ત્ર, ગોપી ચંદન અને ચંદનની સુગંધથી તેમનો શણગાર કરો. શ્રીકૃષ્ણના શણગારમાં ધ્યાન રાખો કે વસ્ત્રથી લઈને ઘરેણાં સુધીમાં કંઈ પણ ચીજ કાળા કલરની ન હોય. કાળો રંગનો પ્રયોગ હિતાવહ નથી. વૈજયંતીના ફૂલ મળી જાય તો તે પૂજામાં સર્વોત્તમ રહેશે.
પ્રસાદમાં આ વસ્તુ અચૂક ધરો
જન્માષ્ટમીના પ્રસાદમાં પંચામૃત ચોક્કસથી અર્પિત કરો. તેમાં તુલસી દળ પણ ઉમેરો. મેવા, માખણ અને મિસરીનો ભોગ ચઢાવો. કેટલીક જગ્યાઓએ આ દિવસે લાલાને ખાસ કરીને પ્રસાદમાં પિંજરીનો ભોગ ધરાવવામાં આવે છે. આ દિવસે શ્રીકૃષ્ણને પૂર્ણ સાત્વિક ભોજન અર્પિત કરાય છે તેમાં તમામ વ્યંજન હોય છે.
કઈ રીતે પસંદ કરશો લાલાની મૂર્તિ
સામાન્ય રીતે જન્માષ્ટમીના દિવસે બાલ કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરાય છે. તમે તમારી અનુકૂળતા અને મનોકામનાના આધારે આ સ્વરૂપને સ્થાપિત કરી શકો છો. પ્રેમ અને દામ્પત્ય જીવનને માટે રાધા કૃષ્ણની, સંતાન માટે બાલ કૃષ્ણની અને દરેક મનોકામના પૂર્ણ કરવા માટે વાંસળી વાળા બાલ કૃષ્ણની સ્થાપના કરો. આ દિવસે શંખ અને શાલિગ્રામની પણ સ્થાપના કરી શકાય છે.