હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના જનજાતીય ભરમૌર સ્થિત ચૌરાસી મંદિર સમૂહમાં સંસારના એક માત્ર ધર્મરાજ મહારાજ અથવા મોતના દેવતાનું મંદિર છે. જાણવા મળી રહ્યું છે કે કોઇ પણ માણસ અહીંયા આવવાની હિમ્મત કરી શકતું નથી. જો કે માન્યતા છે કે ધર્મરાજ મહારાજના આ મંદિરમાં મર્યા બાદ દરેક લોકોને જવું જ પડે છે ભલે એ આસ્તિક હોય કે નાસ્તિક. આ મંદિરમાં એક ખાલી રૂમ છે જેને ચિત્રગુપ્તનો રૂમ માનવામાં આવે છે.
ચિત્રગુપ્ત જીવાત્માના કર્મોના લેખાજોખા રાખે છે. માન્યતા છે કે જ્યારે કોઇ પ્રાણીનું મૃત્યુ થાય છે ત્યારે ધર્મરાજના દૂત એ વ્યક્તિની આત્માને પકડીને સૌથીપહેલા આ મંદિરમાં ચિત્રગુપ્તની સામે પ્રસ્તુત કરે છે. ચિત્રગુપ્ત જીવાત્માને એમના કર્મોનો પૂરો લેખા જોખા આપે છે. ત્યારબાદ ચિત્રગુપ્તની સામેના રૂમમાં આત્માને લઇ જવામાં આવે છે. આ રૂમને ધર્મરાજની કચેરી કહેવામાં આવે છે. ગરુણ પુરાણમાં પણઅ યમરાજના દરબારમાં ચાર દિશાઓમાં ચાર દ્વારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મંદિરના પુજારીનું માનીએ તો આ મંદિર ઝાડીઓમાં ઘેરાયેલું છે. મંદિરની સામે ચિત્રગુપ્તની કચેરી છે. અહીંયા પર આત્માના ઊંધા પગ પણ દર્શાવવામાં આવ્યા છે. માન્યતા છે તે અપ્રાકૃતિક મોત થવા પર અગીંયા પિંડ દાન કરવામાં આવે છે. સાથે જ પરિસરમાં વૈતરણી નદી પણ છે જ્યાં ગૌ દાન કરવામાં આવે છે. આ ઉપરાંત ધર્મરાજ મંદિરની અંદર અઢીસો વર્ષથી અખંડ દીવો પણ ચાલી રહ્યો છે.
કહેવાય છે કે મંદિરમાં કોઇ અંદર જતું નથી પરંતુ બહારથી હાથ જોડીને ચાલ્યા જાય છે. સંસારમાં આએક માત્ર મંદિર છે જે ધર્મરાજને સમર્પિત છે.