ક્રિકેટ / શ્રેયસ અય્યરે જીત બાદ કહ્યું, વિરાટ પાસેથી શીખ્યો રનનો પીછો કરવાની કળા

Shreyas Iyer says he looks to emulate skipper Virat Kohli while chasing big totals

ટીમ ઈન્ડિયામાં ચોથા નંબર પર પોતાનું સ્થાન બનાવી ચૂકેલાં શ્રેયસ અય્યરનું માનવું છે કે, તેણે કેપ્ટન વિરાટ કોહલી પાસેથી મેચ ખતમ કરવાની કળા શીખી છે. ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ બે મેચમાં લક્ષ્યાંક હાંસલ કરતા ભારતે મેચ જીતી લીધી હતી. અય્યરે બંને મેચમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે પ્રથમ મેચમાં અડધી સદી અને બીજી મેચમાં 44 રન બનાવ્યા હતા. પ્રથમ મેચમાં તેને 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ