ટીમ ઈન્ડિયામાં ચોથા નંબર પર પોતાનું સ્થાન બનાવી ચૂકેલાં શ્રેયસ અય્યરનું માનવું છે કે, તેણે કેપ્ટન વિરાટ કોહલી પાસેથી મેચ ખતમ કરવાની કળા શીખી છે. ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ બે મેચમાં લક્ષ્યાંક હાંસલ કરતા ભારતે મેચ જીતી લીધી હતી. અય્યરે બંને મેચમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે પ્રથમ મેચમાં અડધી સદી અને બીજી મેચમાં 44 રન બનાવ્યા હતા. પ્રથમ મેચમાં તેને 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ મળ્યો હતો.
બીજા ટી-20માં ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું
પાંચ મેચની ટી-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ
અય્યરને પ્રથમ મેચમાં તેને 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ મળ્યો
અય્યરે વિરાટ પાસેથી શીખ્યું રન ચેઝ કરવું
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં સાત વિકેટથી જીત મેળવ્યા બાદ, અય્યરે કહ્યું, 'મને લાગે છે કે, કેટલા રનનો પીછો કરવો અને કઈ ગતિમાં રન ચેઝ કરવા તેનો અંદાજ મળી જાય છે.'
વિરાટ કોહલીની યોજના છે સર્વશ્રેષ્ઠ
શ્રેયસ અય્યરે કહ્યું, 'જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરવા જાય છે, ત્યારે જે રીતે તે તેની ઇનિંગ્સની યોજના બનાવે છે તે એક ઉત્તમ ઉદાહરણ છે. મેં તેની પાસેથી વ્યક્તિગત રૂપે ઘણું શીખ્યું છે. તે જે રીતે મેચ રમે છે અને મેચને સમાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, તેનું આ પાસું સર્વશ્રેષ્ઠ છે. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચની ટી-20 શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પહેલી મેચ 6 વિકેટે જીતી હતી.
Iiiyer up the ladder 😛 Thank you everyone for your wishes 😊 I'm going to remember this one for a long, long time. #TeamIndia 🇮🇳 pic.twitter.com/hZggK0P2Rq
શ્રેયસ અય્યરે એમ પણ કહ્યું કે, 'હું રોહિત શર્મા પાસેથી પણ શીખું છું. જ્યારે પણ તેને તક આપવામાં આવે છે, ત્યારે તે તેનો સારો ઉપયોગ કરે છે. ટીમના આ બધા મહાન ખેલાડીઓ અમારા જેવા યુવાનો માટે ખરેખર બેસ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
આ પ્રથમ વખત છે જ્યારે ભારતે ન્યૂઝીલેન્ડ સામે સતત બે ટી 20 મેચ જીતી છે. અય્યરે કહ્યું, 'તેમની પાસેથી ઘણું શીખી શકાય છે અને જ્યારે પણ મને તક મળે છે ત્યારે હું શીખવાનો પ્રયાસ કરું છું. મને લાગે છે કે મારે અણનમ રહેવું પડશે.'
શ્રેયસ અય્યરે કહ્યું, 'આ વિચારસરણીથી મને ક્રીઝ પર બોલર સાથે વ્યવહાર કરવામાં મદદ મળે છે અને જ્યારે સમય આવે છે ત્યારે હું તેમના પર હાવી થઈ જાઉં છું. જ્યારે તમે કોઈ લક્ષ્યનો પીછો કરો છો, ત્યારે તમે તે જ રીતે તમારી ઇનિંગ્સનો પીછો કરો છો.