પ્રતિભાશાળી બેટ્સમેન શ્રેયસ અય્યરને ભારતીય ટીમ મેનેજમેન્ટે જણાવ્યું છે કે ટી-20 ક્રિકેટમાં નંબર ચાર બેટ્સમેનની ભૂમિકા નિભાવશે. હવે શ્રેયસના પ્રદર્શનથી એવુ લાગી રહ્યું છે કે ટીમ ઇન્ડિયા અને કેપ્ટન વિરાટ કોહલીને નંબર-4ના ટેન્શનથી મુક્તિ મળી ગઇ છે.
પ્રતિભાશાળી બેટ્સમેન શ્રેયસ અય્યરને ભારતીય ટીમ મેનેજમેન્ટનું સુચન
શ્રેયસ અય્યર ટી-20 ક્રિકેટમાં નંબર ચાર બેટ્સમેનની ભૂમિકા નિભાવશે
કેપ્ટન વિરાટ કોહલીને નંબર-4ના ટેન્શનથી મુક્તિ મળી ગઇ
ટીમ મેનેજમેન્ટે નંબર ચાર પર ઘણા પ્રયોગ કર્યા. પરંતુ તેને સતત અસફળતાઓ મળી. ઇંગ્લેન્ડમાં રમવામાં આવેલી 50 ઓવરના વિશ્વકપ પહેલા પણ ઘણા ખેલાડીઓને આ નંબર પર અજમાવાયા હતા, પરંતુ કોઇપણ પોતાની જગ્યા પાક્કી કરી શક્યું નહીં.
ક્રિકેટ મહાકુંભમાં વિજય શંકર પર વિશ્વાસ મુકાયો હતો, પરંતુ આ પ્રયોગ પણ અસફળ રહ્યો. અય્યરે બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રીજી ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 33 બોલમાં 62 રનની ઇનિંગ રમ્યા બાદ પત્રકારોને કહ્યું, એમણે (ટીમ મેનેજમેન્ટ) મને સ્પષ્ટ કર્યું છે કે 'તમે નંબર ચાર પર બેટિંગ કરશો, તેથી ખુદ પર વિશ્વાસ રાખો.'
શ્રેયસ અય્યરે કહ્યું, 'મારા માટે નંબર ચાર પર માપદંડ સ્થાપિત કરવા માટે ગત કેટલીક સિરીઝ મહત્વપૂર્ણ રહી. આ નંબર માટે અમે તમામ પ્રતિસ્પર્ધા કરી રહ્યા છીએ. ટીમના બે મુખ્ય બેટ્સમેન કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માના જલ્દી આઉટ થયા બાદ અય્યર 'ફિનિશર' ની ભૂમિકા નિભાવનાર ખેલાડીઓમાં સામેલ થશે.
વિશ્વ કપ ટીમમાં જગ્યા ન બનાવી શકનાર 24 વર્ષના શ્રેયસ અય્યરે કહ્યું, જો કોહલી અને રોહિત આઉટ થઇ જાય છે તો એવો કોઇ બેટ્સમેન જોઇએ કે જે છેલ્લી ઓવર સુધી બેટીંગ કરી શકે. આ નંબર ચારની ભૂમિકા છે. મેં નાગપુરમાં આ કરવાની કોશિશ કરી અને મારા માટે આ સારુ રહ્યું.
શ્રેયસ એય્યરને પૂછવામાં આવ્યું કે આવતા વર્ષે યોજાનારી ટી-20 વર્લ્ડકપથી પહેલા ટીમ તેમના જેવા કેટલાક ખેલાડીઓને આજમાવી રહી છે અને એવામાં તેમની આ ઇનિંગ કેટલું મહત્વ ધરાવે છે? તેના પર શ્રેયસે કહ્યું, હાં, નિશ્ચિત પણે ટીમમાં ઘણી પ્રતિસ્પર્ધા છે. મને વ્યક્તિગત રીતે લાગી રહ્યું છે કે મારી ખુદની સાથે પ્રતિસ્પર્ધા છે. હું નથી ઇચ્છતો કે કોઇની સાથે મારુ આકલન કરવામાં આવે.
શ્રેયસ અય્યર ભલે જ ગત કેટલાક સમયથી નંબર ચાર પર બેટિંગ કરી રહ્યો હોય. પરંતુ તે ટીમની જરુરત પ્રમાણે કોઇપણ નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર છે. શ્રેયસે કહ્યું, હુ ખરેખર તો ખુલ્લા મનનો છું. હું કોઇપણ નંબર પર રમી શકું છું. તેથી હું ઘણી વિકટ પરિસ્થિતિમાં ખુદ પર વિશ્વાસ રાખુ છું અને રવિવારની ઇનિંગ દર્શાવે છે કે હું દબાણમાં પણ રમી શકું છું.
શ્રેયસ અય્યરે કહ્યું, સહયોગી સ્ટાફને મને નહીં, પરંતુ બાકી તમામ બેટ્સમેનોને સ્વચ્છંદ બનીને રમવાની છુટ આપી છે. જ્યારે તમે બેટિંગ કરી રહ્યા છો તો ખુબ જ સકારાત્મક હોવું જોઇએ. જો બોલ મારા માટે અનુકુળ હોય તો હું ખુદ પર નિયંત્રણ નહીં રાખું. હું મારી સુઝબુઝથી તેને રમીશ.
શ્રેયસ અય્યરે કહ્યું, જે ઓવરમાં મેં ત્રણ સિક્સ ફટકારી, તેથી બાજી અમારી તરફ પલટાઇ ગઇ, નહીં તો અમે 150 અથવા 155ના સ્કોર સુધી જ પહોંચી શક્યા હોત. આ સ્કોરનો બચાવ કરવો ખુબ જ મુશ્કેલ બનતો, કેમકે ઓસ ઘણી પડી રહી હતી અને રમવાની સાથે આગળ જતા પિચ બેટિંગ માટે સારી બનતી જઇ રહી હતી.