બે વારની IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે(KKR)શ્રેયર અય્યરને તેની ટીમનો કેપ્ટન બનાવ્યો છે.
KKRએ શ્રેયર અય્યર ટીમનો કેપ્ટન બનાવ્યો
KKRએ ઓક્શનમાં 12.25 કરોડમાં શ્રેયર અય્યરને ખરીદ્યો છે
KKRએ બુધવારે ટ્વિટ કરીને જાહેરાત કરી
KKRએ બુધવારે ટ્વિટ કરીને જાહેરાત કરી કે હવે તેની ટીમનો કેપ્ટન શ્રેયર અય્યર રહેશે. ટીમે કહ્યું કે શ્રેયસ અય્યર અમારા યોદ્ધાઓના નવા લીડર છે. ટીમે તાજેતરની હરાજીમાં તેને 12.25 કરોડમાં ખરીદ્યો છે. ગયા વર્ષની આઈપીએલમાં ઈયાન મોર્ગેને KKRની કેપ્ટનન્સી કરી હતી પરંતુ આ વખતે KKRએ મોર્ગનને રીટેને નથી કર્યો કે ખરીદ્યો પણ નથી. ઉલ્લેખનીય છે કે અય્યરની ગણના ટીમ ઈન્ડીયાના મોટા ખેલાડી અને ભવિષ્યના કેપ્ટન તરીકે થાય છે.
🚨 Ladies and gentlemen, boys and girls, say hello 👋 to the NEW SKIPPER of the #GalaxyOfKnights
KKRએ ટ્વીટ કરી આપી માહિતી
કોલકાતા ટીમ ફ્રેન્ચાઇઝીએ ટ્વિટ કરીને અય્યરના કેપ્ટન બનવાની જાણકારી ફેન્સ સુધી પહોંચાડી હતી. મેગા હરાજીમાં ઐયરની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી અને તેને ટીમે 12.25 કરોડમાં ખરીદ્યો હતો. આ પહેલા દિલ્હી કેપિટલ્સમાં રમતી વખતે તેનો પગાર 7 કરોડ રૂપિયા હતો.દિનેશ કાર્તિક 2020 ની આઈપીએલ સીઝનમાં કોલકાતાનો કેપ્ટન હતો, પરંતુ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે, તેણે મધ્ય ટૂર્નામેન્ટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી અને મોર્ગનને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો. આ વખતે ટીમે કાર્તિક કે મોર્ગનને રિટેન કર્યા નથી.
અય્યરની પાસે કપ્તાનીનો અનુભવ
શ્રેયસ અય્યર 3 સીઝનમાં દિલ્હીની કપ્તાની કરી ચૂક્યો છે. 2019માં તેની કપ્તાનીમાં દિલ્હીએ છ વર્ષ ભાદ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. 2020માં ટીમે પહેલી વાર આઈપીએલની ફાઈનલ મેચ રમી હતી જોકે તેને મુંબઈ ઈન્ડીયન સામે 5 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.