શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી 8 દર્દીઓના મોત નિપજ્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા ત્યારે હવે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દર્દીઓના પરિવારજનોને આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે.
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલો
CM રૂપાણીનો નિર્ણય
મૃતકોના પરિવારજનોને આપશે 4-4 લાખ રૂપિયા
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલની આગ દુર્ઘટનાનામાંઅવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રીરાહત નીધિમાંથી 4 લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનામાં ઇજા પામેલા ઈજગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલની આગ દુઘર્ટનામાં અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી રૂ. 4 લાખ તથા પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.
પીએમઓએ એક ટ્વીટ કરીને કહ્યું કે અમદાવાદની હોસ્પિટલમાં આગમાં મરનારાના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF)માંથી 2 લાખની આર્થિક મદદ કરવામાં આવશે. ઘાયલોને 50 હજારનું વળતર આપવામાં આવશે.
Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the hospital fire in Ahmedabad. Rs. 50,000 each would be given to those injured due to the hospital fire.
અમદાવાદના નવરંગ પુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાતે એકાએક આગ ફાટી નીકળતા 8 કોરોના ગ્રસ્ત દર્દીઓના બળીને ભડથું થવાથી મોત નીપજ્યા છે. આ હોનારતને પગલે રાજ્યના આરોગ્ય સચિવ પણ ઘટના સ્થળે દોડી ગયા છે. ત્યારે આ ઘટનામાં મૃત્ય પામેલા દર્દીઓની યાદી અહીં આપવામાં આવી છે.
PM મોદીએ મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત
આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે અમદાવાદની હોસ્પિટલમાં થયેલી આગની દુઃખદ ઘટનાથી મન વ્યથિત થઈ ગયું છે. શોકમાં ગરકાવ પરિવારો સાથે મારી સંવેદના છે. ઘાયલો જલ્દી સ્વસ્થ્ય થઈ જાય તેવી કામના કરુ છું.’તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજય રુપાણી અને અમદાવાદના મેયર બિજલબેન સાથે આ મુદ્દે તેમણે વાત પણ કરી હતી. અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 40 કોરોનાગ્રસ્તોને બચાવી દેવાયા છે.
8 લોકોના થયાં છે મોત
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 8 દર્દીઓના મૃત્યુ મામલે પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો દાખલ કર્યો છે. FSLની ટીમના રિપોર્ટ બાદ વધુ કલમ ઉમેરવામાં આવશે. હોસ્પિટલમાં 3 દર્દીઓના દાઝી જવાથી મૃત્યુ થયા છે. જ્યારે 5 દર્દીઓના ગુંગણામણથી મૃત્યુ થયા છે. સાંકડી જગ્યા હોવાથી દુર્ઘટના સર્જાઇ હતી. તો હાલ પોલીસે ફાયર વિભાગ પાસેથી ફાયર સેફ્ટી અંગે રિપોર્ટ માગ્યો છે. પોલીસને ફાયર સેફ્ટીના કોઈ પુરાવા મળ્યા નથી. ભરત મહંતની બેદરકારીને લઈને પૂછપરછ કરવામાં આવી છે.