સ્વામિનારાયણ સંપ્રદાય કંઈને કંઈ મામલે વિવાદમાં આવતો રહે છે ત્યારે મહિલાઓ સાથે ગેરવર્તનને લઇને આ વખતે ભુજની શ્રી સહજાનંદ કોલેજમાં વિવાદ સામે આવ્યો છે. કોલેજમાં વિદ્યાર્થિનીઓ નિર્વસ્ત્ર કરીને તેમની તપાસ કરવામાં આવી હતી જેનું કારણ હતુ માસિક ધર્મ. ત્યારે હવે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરતા વાત નેશનલ લેવલે પહોંચી હતી. જેને લઇને હવે કરણી સેના દ્વારા આ કોલેજ બંધ કરવાની માંગ પણ કરાઇ રહી છે.
નિવસ્ત્ર કરીને વિદ્યાર્થિનીઓની કરાતી હતી તપાસ
કોલેજમાં માસિક ધર્મને લઈને વિદ્યાર્થિની થઇ હતી તપાસ
કાર્યવાહી કરવા અને કોલેજને બંધ કરવાની માગ
ભુજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થિનીઓ સાથે શોષણ મામલે વિવાદ થયો છે. ત્યારે હવે આ મામલે કરણીસેનાના મહિલામંડળે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે. આ મામલે કરણીસેનાએ જવાબદારો સામે કાર્યવાહી કરવા અને કોલેજને બંધ કરવાની માગ કરી છે.
સમગ્ર રિપોર્ટ સરકારને સુપરત કરાશેઃ મહિલા આયોગ
અહીં ભણતી છોકરીઓની આવી તપાસને પગલે ખળભળાટ મચી ગયો હતો. વિદ્યાર્થીનીઓના વિરોધ ને પગલે આખો મામલે સામે આવતાં હવે મહિલા આયોગે આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે.
કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તણૂંક થઇ છે. તો FSL દ્વારા પણ કોલેજમાં તપાસ કરવામાં આવી છે. ઋતુ ધર્મને લઇ વિદ્યાર્થિનીઓની તપાસ કરી હતી. મહિલા આયોગે કહ્યું કે સમગ્ર રિપોર્ટ સરકારને સુપરત કરાશે.
ઘટના ખુબ જ શરમજનકઃ નયનાબા જાડેજા
કરણી સેનાની મહિલા પાંખ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનબા જાડેજાને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના ખુબજ શરમજનક છે.
જવાબદારો સામે કડક પગલાં લેવાશેઃ CM
કચ્છમાં વિદ્યાર્થીનિઓ સાથે ગેરવર્તણૂંક મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, આ ઘટનાને ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. તપાસ માટે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. સહજાનંદ કોલેજના પ્રિન્સિપાલ અને ચાર મહિલાકર્મીઓ સામે ફરિયાદ થઈ છે. આ મામલે તપાસ બાદ જવાબદારો સામે કડક પગલા લેવાશે.
ત્યારે અનેક સવાલ થાય છે કે માનસિક શિક્ષણનો સુધારો ક્યારે થશે? વિદ્યાર્થિનીઓ સાથે આવી ગેરવર્તણૂંક ક્યાં સુધી? દીકરીઓ પ્રત્યે છિછરી માનસિકતા ક્યાં સુધી ? સહજાનંદ કોલેજની આવી શેતાની કેમ?