કચ્છની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં વિવાદ મામલે મોટી કાર્યવાહી કરાઇ છે. સહજાનંદ કોલેજની માન્યતા રદ કરી દેવાઇ છે. માન્યતા રદ કરવા ગુજરાત શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જેને લઇ કુલપતિએ કહ્યું કે મૌખિક સૂચના આજે મળી છે જેને લઇ અમે પરિપત્ર બહાર પાડીશું. અને પરીપત્ર બહાર પાડી આગળની કાર્યવાહી કરીશું.
કચ્છની સહજાનંદ ગર્લ્સ કોલેજ વિવાદનો મામલો
સહજાનંદ કોલેજની માન્યતા કરાઇ રદ્દ
માન્યતા રદ કરવા ગુજરાત શિક્ષણ વિભાગનો આદેશ
જ્યાં દીકરીઓને શક્તિ સ્વરૂપાનું બિરૂદ આપવામાં આવે છે તેવા આપણા પ્રદેશના એક શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ અંગેની તપાસ કરવાને લઇને વિવાદ સર્જાયો હતો ત્યારે હવે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કચ્છની સહજાનંદ કોલેજની માન્યતા રદ્દ કરી હતી.
સહજાનંદ કોલેજની માન્યતા રદ કરી દેવાઇ
નોંધનીય છે કે, કચ્છની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં વિવાદ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સહજાનંદ કોલેજની માન્યતા રદ કરી દેવાઇ છે. માન્યતા રદ કરવા ગુજરાત શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જેને લઇ કુલપતિએ કહ્યું કે મૌખિક સૂચના આજે મળી છે જેને લઇ અમે પરિપત્ર બહાર પાડીશું. અને પરિપત્ર બહાર પાડી આગળની કાર્યવાહી કરીશું.
vtvgujarati.com દ્વારા સ્ત્રીઓના માસિક ધર્મ અંગે જાગૃતિ આવે તેવી એક લડત ચલાવી
vtvgujarati.com દ્વારા સ્ત્રીઓના માસિક ધર્મ અંગે પ્રવર્તી રહેલી ગેર માન્યતા સામે લોકજાગૃતિ આવે તે હેતુથી 'લાલ ની શાન'નામથી એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માસિક ધર્મ અંગે લોકોમાં સકારાત્મક બાબતોનો સંચાર થાય તેવા પ્રયાસ હાથ ધરાયા હતા ત્યારે આ લડતની જીત થઇ હોય તેમ કહેવું ખોટું નથી.
શું બની હતી ઘટના
ભુજના સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી હતી. વિદ્યાર્થિનીઓની આવી રીતે તપાસ કરાતા તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે સંચાલકોએ વિદ્યાર્થિનીઓ પર દબાણ લાવીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો હતો, એટલું જ નહીં વિદ્યાર્થિનીઓએ સંચાલકોએ હોસ્ટેલમાંથી કાઢી મુકાવની પણ ધમકી આપી હોવાની ચર્ચા છે. સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓની માંગણી છે કે, ગેરવર્તણૂંક કરનારા સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.
સ્વામિનારાયણ સંપ્રદાયની શૈક્ષણિક સંસ્થા માટે આ ખૂબ જ શરમજનક બાબત છે કે આ ઘટના હવે આખા ગુજરાતમાં પવનવેગે પ્રસરી જતા દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ઘટના મોટું સ્વરૂપ ધારણ કરતા હવે, નિર્ણય ઝડપથી લાવવો એ સરકાર માટે અતિઆવશ્યક થઈ ગયું છે.