પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનાર અમૂલ્યા લિયોના હાલમાં કસ્ટડીમાં છે, પરંતુ શ્રી રામ સેના નામની રાઈટ વિંગ સંસ્થાના કાર્યકર્તાએ તેની હત્યા કરવા બદલ 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. એમ પણ કહ્યું છે કે, જો તેને જેલથી મુક્ત કરવામાં આવશે તો તેની હત્યા કરવામાં આવશે.
અમૂલ્યાને મુક્ત કરવામાં આવશે તો અમે તેને મારી નાખીશું
અમે એવો કોઈ વીડિયો જોયો નથી કે આ વિષે કાંઈ સાંભળ્યું નથી
વીડિયો ફૂટેજમાં શ્રી રામ સેનાના કાર્યકર સંજીવ મારદી રાજ્ય સરકારને અમૂલ્યા લિયોનને મુક્ત ન કરવા હાકલ કરતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સંજીવ મરદી એમ પણ કહે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારે તેને કોઈ પણ સંજોગોમાં મુક્ત ન કરવી જોઈએ. જો તે છૂટી થઈ જશે, તો અમે તેને મારી નાખીશું.
અમને કોઈ જાણકારી નથી: SP
આ કેસ અંગે બેલ્લારી પોલીસ અધિક્ષક સી કે બાબાએ જણાવ્યું હતું કે તેમણે હજી સુધી આ પ્રકારનો કોઈ વીડિયો જોયો નથી અથવા તો આવી કોઈ વાત સાંભળી નથી. તેણે આગળ કહ્યું, "મને તાપસ કરવા દો. તેમણે શું કહ્યું તે મેં સાંભળ્યું નથી."
અગાઉ બેંગલુરુ માં પાકિસ્તાન જિંદાબાદ નારા લગાવનાર અમુલ્યા લિયોનાનું નક્સલ જૂથ સાથે જોડાણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા કહે છે કે સમાજમાં શાંતિ અને સુમેળનું વાતાવરણ બગાડવાનો આ પ્રયાસ છે. આવા લોકોની સામે તપાસ થવી જોઈએ જે તેમને પ્રોત્સાહિત કરે છે. જો અમુલ્યા પણ નક્સલવાદીઓથી સંબંધિત હોય તો તેને પણ સજા થવી જોઈએ.
અમૂલ્યાના પિતાએ કરી ફરિયાદ
આ દરમિયાન અમૂલ્યા લિયોનાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, કેટલાક અસામાજિક તત્વોએ ચિકમંગલુરુમાં તેમના ઘરમાં તોડફોડ કરી હતી.
અમૂલ્યાના પિતા જનતા દળ સેક્યુલર (JDS) ના સ્થાનિક નેતા છે. આ પહેલા તેમણે કહ્યું હતું કે, "મેં ઘણી વાર અમૂલ્યાને કહ્યું હતું કે તેઓ મુસ્લિમોમાં જોડાય નહીં. તેણે સાંભળ્યું નહીં મેં ઘણી વખત ઉશ્કેરણીજનક નિવેદન ન આપવા પણ જણાવ્યું હતું, પરંતુ તે માની નહીં."