ઘર્મ / ભગવાન રામ સતયુગ લાવનાર એક ઉત્તમોત્તમ પ્રતિનિધિ છે, જાણો અલૌકિક માતૃ-પિતૃ-બંધુપ્રેમ

Shree Ram and their Family love

ભગવાન રામ સતયુગ લાવનાર એક ઉત્તમોત્તમ પ્રતિનિધિ છે. એમને ખબર પડી કે, હવે વનમાં જવાનું છે ત્યારે દશરથને કહે છે, “તમે શા માટે મુંઝાવ છો ? જો તમે વચન નહીં પાળો તો દુનિયામાં કોણ પાળશે ? તમે બે વચન આપ્યાં છે. તે વાત સાચી અને મારી મા બેઉ વચન માગે છે. આમાં સાચું શું કે ખોટું શું ? એ નિર્ણય કરવાનો મને કે તમને હક્ક નથી. મારી માતાને તમે કહ્યું હતું, તું માગીશ તે હું આપીશ. તમે તેને એવું તો નહોતું કહ્યું ને કે, તું સારું માગીશ તો જ આપીશ ? તો પછી તે જે માગે તે આપવા તમે બંધાયેલા છો. તમે ન આપો તો પણ હું તો આપવા બંધાયેલો છું, કારણ ! પિતાનું ઋણ દીકરાએ ફેડવું જ જોઈએ.”

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ