પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. આ મહિનામાં કેટલાક એકટાણાં સાથે એક ઉપવાસ કરતા હોય છે જ્યારે કેટલાક ભક્તો માત્ર શ્રાવણના સોમવારના દિવસે જ ઉપવાસ કરતા હોય છે. જેથી શ્રાણણ માસમાં ડાયટ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આ મહિનામાં ફ્રૂટ્સ વધુ ખાવામાં આવે છે, જેમાંથી કેળા એવું ફ્રૂટ છે જેને ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. સાથે જ તે સરળતાથી મળી રહે છે અને સસ્તું પણ હોય છે. તો તમને જણાવી દઈએ કે રેગ્યુલર કેળા ખાઈને ડાઈજેશન પ્રોબ્લેમ, બીપી, અસ્થમા સહિતના ઘણાં રોગોને કંટ્રોલ કરી શકાય છે.
પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ રાખતા હોવ તો કરો આ કામ
ઉપવાસ દરમિયાન હેલ્ધી ખાવું જરૂરી છે
ઉપવાસ દરમિયાન કેળા બેસ્ટ ઓપ્શન છે
હાઈ ફાયબર
કેળામાં સોલ્યૂબલ અને ઈનસોલ્યૂબર ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી ઉપવાસમાં કેળા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગવાની સમસ્યા થતી નથી. સવારે નાસ્તામાં કેળું ખાવામાં આવે તો આખા દિવસ માટે બોડીને એનર્જી મળી રહે છે.
હાર્ટ માટે બેસ્ટ
હાઈ ફાયબર ફૂડ્સ હાર્ટ માટે સારાં માનવામાં આવે છે. યૂનિવર્સિટી ઓફ લિડ્સ ઈન યૂ.કે.ની એક સ્ટડી મુજબ ફાયબર રિચ ફૂડ્સ ખાવાથી હાર્ટ ડિસીઝ અને કોરોનરી હાર્ટ ડિસીઝનો ખતરો ઓછો થાય છે.
ડાઈજેશનની બેસ્ટ દવા
બોવેલ મૂવમેન્ટ અને ડાઈજેશન ઈમ્પ્રૂવ કરવા માટે ફાયબરવાળા ફૂડ ડાયટમાં સામેલ કરવા જોઈએ. ઉપવાસમાં ડાઈજેશન પ્રોબ્લેમ વધી જતો હોય છે. આવા સમયે કેળામાં રહેલું ડાયટરી ફાયબર ડાઈજેશન માટે બેસ્ટ માનવામાં આવે છે.
મેમરી વધારે છે અને મૂડ સારો કરે છે
ઉપવાસમાં ઘણાં લોકો લો ફીલ કરે છે. ત્યારે કેળામાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે. જેથી રોજ કેળું ખાવાથી મેમરી વધે છે અને મૂડ પણ સારો રહે છે.
ન્યૂટ્રિઅન્ટ્સનું પાવરહાઉસ
કેળામાં સારી માત્રામાં પોષક તત્વો મળી રહે છે. કેળામાં એસેન્સિઅલ વિટામિન્સ અને મિનરલ્સ જેવા કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગ્નીઝ, મેગ્નેશિયમ, આયર્ન, ફોલેટ, નિયાસિન મળી રહે છે. જે બોડીના પ્રોપર ફંક્શન અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
પોટેશિયમનો બેસ્ટ સોર્સ
કેળામાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે. આ મિનરલના અનેક સ્વાસ્થ્ય ફાયદાઓ છે. પોટેશિયમ હાર્ટબીટ રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે, આ સાથે તે બીપીને કંટ્રોલમાં રાખે છે અને બ્રેનને એલર્ટ રાખે છે. જેથી ડેઈલી ડાયટમાં કેળું ખાવું જ જોઈએ.
બ્લડપ્રેશર
કેળામાં લો સોલ્ટ કન્ટેન્ટ અને હાઈ પોટેશિયમ કન્ટેન્ટ હોય છે. આ પ્રોપર્ટી હોવાને કારણે કેળા બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ બેસ્ટ છે. તે બીપી કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. પણ બીપીના દર્દીઓએ ડેઈલી ડાયટમાં કેળા ખાતાં પહેલાં એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.
એનિમિયા
કેળામાં આયર્નની સારી માત્રા હોય છે. જેથી એનિમિયાના દર્દીઓ માટે પણ કેળા બેસ્ટ ફ્રૂટ છે. તે બોડીમાં રેડ બ્લડ સેલ્સ અને હીમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. સાથે જ તેને ખાવાથી થાક, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.
એક્સ્ટ્રા ટિપ્સ
કેળાને ક્યારેય ફ્રિઝમાં મૂકવા નહીં.
અત્યારે કેમિકલથી પકાવેલાં કેળા મળતાં હોય છે જેથી ખાલી પેટ કેળા ખાવા નહીં.
કેળા જલ્દી બગડી જાય છે અને તેની પર કાળા ડાઘ પડી જાય છે, જેથી હમેશાં ફ્રેશ કેળા લાવીને જ ખાવા.