બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / shramik special train reality check trains late migrants protest corona lockdown

વેદના / શ્રમિક સ્પેશિયલ ટ્રેનો 36 કલાકની મુસાફરી માટે કેમ 70 કલાક લઈ રહી છે? ટ્રેનમાં મજૂરો સાથે થઈ રહ્યું છે એવું કે...

Last Updated: 11:52 AM, 26 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરપ્રાંતિય મજૂરો માટે દરરોજ સેંકડો મજૂર વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. પરંતુ આમાંથી કેટલીક ટ્રેનો એવી છે જે ખૂબ મોડા તેમના મુકામ પર પહોંચી રહી છે. સ્થિતિ એ છે કે 30 કલાકનો પ્રવાસ 4 દિવસમાં પૂર્ણ થઈ રહ્યો છે. રસ્તામાં ભૂખ, તરસ અને ગરમીને કારણે મજૂરો પરેશાન છે. મજૂરોની ધીર તૂટી રહી છે અને તેઓ હોબાળો કરવા મજબૂર થયા છે.

  • પુણેથી ઉપડતી ટ્રેન 4 દિવસે સમસ્તીપુર પહોંચી
  • દિલ્હીથી ઉપડતી ટ્રેનને પણ ચાર દિવસનો સમય લાગ્યો
  • ભૂખ અને ગરમીથી મજુરો હેરાન થઈ ગયા

હકીકતમાં દિલ્હીથી બિહારના મોતીહારી તરફ જતી ટ્રેન ચાર દિવસે  સમસ્તીપુર પહોંચી હતી. જ્યારે મુસાફરી માત્ર 30 કલાકની જ છે. મજૂરોનું કહેવું છે કે તેમને મોતીહારીની ટિકિટ આપવામાં આવી છે અને ટ્રેન તેમને છેલ્લા 4 દિવસથી ફેરવી રહી છે. લોકો કહે છે કે મુશ્કેલીના સમયમાં તેઓ ઘરે પરત ફરી રહ્યા છે અને હવે આ પ્રવાસ પણ સમસ્યા બન્યો છે.

ફ્લેટફોર્મ પર બાળકનો જન્મ

દિલ્હીથી મોતીહારી જતી ટ્રેન ચાર દિવસે સમસ્તીપુર પહોંચી હતી. જ્યારે ટ્રેનમાં રહેલી મહિલાને પ્રસુતી પીડા થઈ હતી ત્યારે તેને ટ્રેનમાંથી ઉતારવામાં આવી હતી. સ્થિતિ એવી હતી કે મહિલાએ કોઈ તબીબી સુવિધા વિના પ્લેટફોર્મ પર બાળકને જન્મ આપ્યો. દરમિયાન માહિતી મળ્યા બાદ રેલવેના સિનિયર ડીસીએમ તેમની કાર લઈને મહિલાને હોસ્પિટલમાં લઈ ગયા હતા.

22 મી તારીખે નિકળ્યા અને 25 મીએ પહોંચ્યા

સમસ્તીપુર પહોંચતી અન્ય ટ્રેનોના મુસાફરોની સ્ટોરી પણ આવી જ હતી. ઘણાંય 22મી તારીખે મુસાફરી કરી રહ્યા હતા. તો કેટલાય ભૂખ, તરસ અને ગરમીથી પીડાઈ રહ્યાં હતા. રેલવે વહીવટી તંત્રનું કહેવું છે કે ખાલી ટ્રેક ન  મળવાને કારણે માર્ગ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. મજૂરોને અન્ન અને પાણી મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 36 કલાકની મુસાફરી માટે 70 કલાક લાગી રહ્યા છે

સમસ્તીપુર પહોંચેલી એક ટ્રેનના મુસાફર ગગન જણાવે છે કે તેણે 22 મેના રોજ પુણેમાં ટ્રેન પકડી હતી અને ટ્રેન 25 મેના રોજ બપોરે છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરતા સમસ્તીપુર પહોંચી હતી. તેવી જ રીતે ધર્મેન્દ્ર કહે છે કે તેણે પણ પુણેમાં જ ટ્રેન પકડી હતી. આખુ ભારત ભ્રમણ કરી 70 કલાક પછી ટ્રેન સમસ્તીપુર પહોંચી. જ્યારે આ યાત્રામાં ફક્ત 36 કલાકનો સમય લાગે છે.

મજૂરોને  ખોરાક કે પાણી  ન અપાતા તેઓ હેરાન 

બીજા મુસાફરે કહ્યું કે જે સ્ટેશન પર ટ્રેન અટકી છે ત્યાં લગભગ 2-3  કલાક ઉભી રહે છે. આ દરમિયાન તેમને ન તો ખોરાક મળ્યો ન તો પાણી. આ કાળાઝાળ ગરમીમાં હેરાન મુસાફરો અનેક જગ્યાએ ગુસ્સે થયા છે અને તોડફોડની ઘટનાને સામે આવી છે.

રેલવેએ સફાઇ આપી હતી કે...

ટ્રેનના મોડા થવા અંગે  સમસ્તીપુર રેલ વિભાગના સિનિયર ડીસીએમ સરસ્વતીચંદ્ર કહે છે કે ઘણી ટ્રેનો અનિયમિત રીતે દોડે છે. કારણ કે રસ્તો (ટ્રેક ખાલી નથી). કેટલીક ટ્રેનો શોર્ટ નોટિસ પર દોડાવવામાં આવી રહી છે. આને કારણે ટ્રેનો મોડી પડી રહી છે. અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ટ્રેનો લેટ ન આવે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Indian migrants Shramik Special Train lockdown કોરોના વાયરસ મજૂર લોકોડાઉન સ્પેશિયલ ટ્રેન coronavirus
Dharmishtha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ