સંસ્કૃતિ અને સંસ્કારની નગરી કાશીએ માતૃનોમના દિવસે ન જન્મેલી એટલે કે ગર્ભમાંજ મારી નંખાયેલી 5500 દિકરીઓના નામે શ્રાધ્ધ કર્યુ. ગર્ભમાં જ મારીને જીવવાના અધિકારથી વંચિત કરી દેવાયેલી જ્ઞાત- અજ્ઞાત માતૃશક્તિને મોક્ષ-મુક્તિનો અધિકાર આપવામાં આવ્યો. આ સાથે કન્યા ભૃણ હત્યા ન કરવાના સંદેશની સાથે આમ કરનારા લોકોને ધુતકાર્યા પણ ખરા. આપણા દેશમાં ભૃણહત્યાની સંખ્યા ખાસ્સી એવી હોય છે.
ગર્ભમાં જ મારી નાંખવામાં આવેલ દીકરીઓનું કરાયું પિંડદાન
ગંગા કાંઠે કરાયું 5500 દીકરીઓ માટે તર્પણ
ગંગા કાંઠે કરાયું તર્પણ
સરકારના બેટી બચાવો અભિયાનથી જોકે તેમાં ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ સંકુચિત વિચારસરણી ધરાવતા પરિવારો ગર્ભહત્યા કરતા પણ વિચારતા નથી. સામાજિક સંસ્થા આગમનના આહ્વાન પર અશ્વિન કૃષ્ણનવમીના દિવસે ભરબપોરે ગંગા કિનારે દશાશ્વમેઘ ઘાટ પર લોકો એકઠા થયા.
ગર્ભમાંજ મૃત્યુ પામેલી દિકરીઓના નામે કરાયું પિંડદાન
શ્રધ્ધા સાથે કાશીવાસીઓએ માટીની એક કતારમાં ગર્ભમાંજ મૃત્યુ પામેલી દિકરીઓના નામે 5500 પિંડ બનાવ્યા. પાંચ વૈદિક બ્રાહ્મણોએ મંત્ર વાંચ્યા અને બદનસીબ માતા-પિતાના સંકુચિત વિચારોના કારણે ગર્ભમાંજ મૃત્યુ પામેલી દરેક પુત્રીના મોક્ષની કામનાથી શાસ્ત્રોમાં વર્ણિત પરંપરાઅનુસાર શ્રાધ્ધ અને તર્પણ કરાયુ.
અત્યારસુધી 26000 દિકરીઓનું કરાયું છે પિંડદાન
આ રીતે અત્યારસુધી 26000 દિકરીઓનું પિંડદાન અને તર્પણ કરી ચૂકેલા ડો. સંતોષ ઓઝાએ વિધિ વિધાનથી બ્રાહ્મણોને ભોજન કરાવીને અનુષ્ઠાન પુર્ણ કરાવ્યુ. તેમણે કહ્યુ કે સામાન્ય રીતે ગર્ભપાતને એક ઓપરેશન માનવામાં આવે છે,પરંતુ સ્વાર્થમાં ડુબેલા અજન્મી દિકરીઓના અભાગ્યા માતાપિતા એ ભુલી જાય છે કે ભ્રુણમાં પ્રાણ વાયુના સંચાર બાદ કરાયેલુ ગર્ભપાત જીવહત્યા જ છે. જે 90 ટકા કેસમાં હોય છે.
સ્પષ્ટ છે કે મોટાભાગે ગર્ભપાતના નામ પર જીવહત્યા કરવામાં આવે છે. ધર્મગ્રંથમાં કહેવાયુ છે કે અકાળ મૃત્યુમાં શાંતિ પ્રાપ્તિ થઇ શકતી નથી અને જીવ શાંતિ માટે આમતેમ ભટકે છે. આ ભટકતો જીવ પરિવારજનો માટે પણ દુખનુ કારણ બને છે. શાસ્ત્રીય વિધિથી શ્રાધ્ધ કર્મ કરવામાં આવે તો જીવને શાંતિ મળે છે. આજ કારણથી ડો સંતોષ ઓઝા ઘણા વર્ષોથી પિતૃપક્ષમાં અજન્મી બાળકીઓનું શ્રાધ્ધ કર્મ કરીને તેમના જીવને શાંતિ આપવાનો પ્રયાસ કરે છે. આ એક મોટુ સેવા કાર્ય જ છે.