ટીમ ઇન્ડિયાના પૂર્વ હેડ કોચ અનિલ કુંબલેએ કહ્યુ કે, ''આ વાત પર હવે વિશ્વાસ નથી કે હાલની ટીમ ઇન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોની ફિટ બેસ છે કે નહી''
ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બૉલર અનિલ કુંબલેએ આગળ કહ્યુ કે, સિલેક્ટર્સે ધોનીના ભવિષ્યને લઇને ચર્ચા કરવી જોઇએ. કુંબલેનું માનવુ છે કે, ક્રિકેટમાં શાનદાર યોગદાન આપવા બદલ ધોનીને એક યોગ્ય વિદાયનો હકદાર છે અને આ માટે સિલેક્ટર્સે તેની સાથે વાતચીત કરવી જોઇએ.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધોનીનું ભવિષ્ય ચર્ચાનો વિષય છે અને સિલેક્ટર્સે આ વાતના સંકેત મળ્યા છે અને તેઓ આગળનું વિચારી રહ્યા છે. ધોનીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જારી રાખવા અંગે અનિલ કુંબલેએ કહ્યુ કે, ''મને લાગે છે કે રિષભ પંતને નિશ્ચિત રીતે વિકેટકીપર બેટ્સમેન તરીકે મજબૂત દાવેદારી નોંધાવી છે. ખાસ કરીને T-20 ફોર્મેટમાં તેણે સારું ફોર્મ કર્યુ છે. એવામાં ધોની સાથે વાતચીત કરવી જરૂરી છે. ધોની સારી વિદાયનો હકદાર છે અને સિલેક્ટર્સે આ માટે તેની સાથે વાત કરવી જરૂરી છે.''
અનિલ કુંબલેએ આગળ કહ્યુ કે, આગામી થોડા મહિનાની યોજના તૈયાર કરવામાં આવે. ટીમ માટે સિલેક્ટર્સ બેસીને વિચાર કરવો જોઇએ કે આગળની શું યોજના છે. જો સિલેક્ટર્સ માને છે કે ધોનીને T-20 વર્લ્ડકપ સુધી રમાડી શકાય છે. તો આ બધી મેચમાં રમાડવો જોઇએ. જો તે આ ટૂર્નામેન્ટનો ભાગ નથી તો સિલેક્ટ્સે વિચાર કરવો જોઈએ કે કેવી રીતે ધોની વિના આગળની તૈયારી થશે. આ સાથે જ આગામી 2 મહિનામાં આ નક્કી કરવુ જોઇએ.''
આ પહેલા ટીમ ઇન્ડિયાના હેડ સિલેક્ટર એમ.એસ. કે. પ્રસાદે જણાવ્યુ કે, ધોનીએ સાઉથ આફ્રિકા સામેની ત્રણ T -20 મેચ માટે તેની ઉપલબ્ધતા દર્શાવી ન હતી.ધોની પસંદગી માટે ઉપલબ્ધ ન હતો કારણ કે આવતા વર્ષે થનારા T-20 વર્લ્ડ કપની તૈયારી માટે ધોનીએ અમને સમય આપ્યો છે.''